સરકારી બેંકના કર્મચારીઓ હડતાળ પર જાય તો કેવા પગલા લઈ શકાય? જાણો હાઈકોર્ટનો જવાબ
બેંક આજે બધા લોકોની જરૂરિયાત છે અને તે એક દિવસ બંધ રહે તે કરોડો રુપિયાના કામો અટકી જાય છે. આ બાજુ બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનો પોતાની નોકરીના પગાર જેવા ઈશ્યુને લઈને સૂચિત હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મામલે કહ્યું છે કે બેંક કર્મચારી દ્વારા જે […]
બેંક આજે બધા લોકોની જરૂરિયાત છે અને તે એક દિવસ બંધ રહે તે કરોડો રુપિયાના કામો અટકી જાય છે. આ બાજુ બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનો પોતાની નોકરીના પગાર જેવા ઈશ્યુને લઈને સૂચિત હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મામલે કહ્યું છે કે બેંક કર્મચારી દ્વારા જે સૂચિત હડતાળ આપવામાં આવી છે તે અયોગ્ય છે. સરકારી સેવા સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ હડતાળ પર જાય તો તેમની સામે પગલા લઈ શકાય છે. આ સિવાય આવા કિસ્સામાં પગાર કાપવા અને ખાતાકીય તપાસ જેવા પગલા લઈ શકાય તે અંગે પણ નામદાર હાઈકોર્ટે સરકારને ટકોર કરીને કહ્યું છે.
આ પણ વાંચો : ફરુખાબાદમાં એક શખસે બંદૂકની અણીએ 15 જેટલાં બાળકોને બંધક બનાવ્યા
ઉલ્લેખનીય છે કે વારંવાર બેંક કર્મચારીઓની હડતાળના લીધે ખાસ કરીને વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે આ મુદો ગુજરાતની હાઈકોર્ટ સુધી જાહેરહિતની અરજી સ્વરૂપે પહોંચ્યો હતો. જનહિતને લઈને કોર્ટે સરકારને અગત્યનું સૂચન કર્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો