દિલ્હી: શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા કેજરીવાલ, જાણો કોની પર કર્યો પ્રહાર?
શાહીનબાગમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની દેશભરમાં ચર્ચા છે. જો કે આ વિરોધ પર કેજરીવાલની અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નહોતી. સોમવારના રોજ કેજરીવાલે શાહીનબાગ પ્રદર્શન પર પોતાનું મૌન તોડ્યું છે અને ભાજપ પર નિશાન તાક્યું છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની […]
શાહીનબાગમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની દેશભરમાં ચર્ચા છે. જો કે આ વિરોધ પર કેજરીવાલની અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નહોતી. સોમવારના રોજ કેજરીવાલે શાહીનબાગ પ્રદર્શન પર પોતાનું મૌન તોડ્યું છે અને ભાજપ પર નિશાન તાક્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ
દિલ્હીમાં ભલે કેજરીવાલની સરકાર હોય પણ દિલ્હી પોલીસ ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતગર્ત આવે છે. આમ દિલ્હી સરકાર કેજરીવાલ ચલાવે છે પણ સુરક્ષા દિલ્હી પોલીસ આપી રહી છે. શાહીનબાગ મુદે દિલ્હી પોલીસને પણ કેજરીવાલે એમ કહીને નિશાન પર લીધી છે કે તેઓ ઈચ્છી રહ્યાં છે કે રસ્તાઓ ના ખૂલે. શાહીનબાગનો વિરોધ એવી જગ્યાએ ચાલી રહ્યો છે જેના લીધે એક તરફ આવવા-જવાનો રસ્તો બંધ થઈ જાય છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને હટાવી શકી નથી અને તેના લીધે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે જેથી પ્રદર્શનની ખોટી છાપ ઉભી કરી શકાય આવા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યાં છે.
शाहीन बाग़ में बंद रास्ते की वजह से लोगों को परेशानी हो रही है। भाजपा नहीं चाहती कि रास्ते खुलें। भाजपा गंदी राजनीति कर रही है। भाजपा के नेताओं को तुरंत शाहीन बाग़ जाकर बात करनी चाहिए और रास्ता खुलवाना चाहिए।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શું કહીં રહી છે દિલ્હી પોલીસ? શાહીનબાદ સુધી જવાના રસ્તે દિલ્હી પોલીસ અને નોએડા પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કહીં રહી છે આ બેરિકેડ લોકોની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. જો મોટો ટ્રાફિક અંદર સુધી જશે અને જ્યાં પ્રદર્શન થઈ રહ્યું છે ત્યાં રસ્તો સાંકડો થવાથી અરાજકતા ઉભી થઈ શકે છે. આમ પોલીસે લોકોની સુરક્ષા માટે જ બેરિકેડ લગાવ્યા છે. ત્યારે કેજરીવાલે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું છે કે તેની પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ શાહીનબાગ જવું જોઈએ અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરીને ઉકેલ લાવવો જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]