કોરોનાને પગલે દેવદિવાળીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ ન અપાયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરત ફર્યા
અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી મેળો ન યોજવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધેલો હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જોકે કોઈને મંદિરમાં પ્રવેશ નથી અપાયો. ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે દરવર્ષે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને […]
અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી મેળો ન યોજવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધેલો હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જોકે કોઈને મંદિરમાં પ્રવેશ નથી અપાયો. ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે દરવર્ષે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે તેમને સ્નાન કર્યા વિના જ પરત ફરવું પડ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો