VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર
6 મહિના અગાઉ અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો ન નીકળવા દેવાને લઈને ભારે ઘર્ષણ થયુ હતું. ત્યારે હવે વરરાજાના જ બે પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. નવરાત્રીમાં અનુસૂચિત જાતિના લોકો સામેલ થવાના હતા, પરંતુ તેનું કોઈ કારણસર આયોજન રદ થયું હતું. આમ વરઘોડો કાઢવાને લઈને થયેલા ઘર્ષણ બાદ […]
6 મહિના અગાઉ અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો ન નીકળવા દેવાને લઈને ભારે ઘર્ષણ થયુ હતું. ત્યારે હવે વરરાજાના જ બે પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. નવરાત્રીમાં અનુસૂચિત જાતિના લોકો સામેલ થવાના હતા, પરંતુ તેનું કોઈ કારણસર આયોજન રદ થયું હતું. આમ વરઘોડો કાઢવાને લઈને થયેલા ઘર્ષણ બાદ નવરાત્રીનું આયોજન રદ થતા આ બંને પરિવારોએ ભેદભાવનો આરોપ મૂકી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો. અને દશેરાના દિવસે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો.
આ પણ વાંચો: VIDEO: સતરંગ દર્શન કરી પરત આવતા પરિવારને નડ્યો અકસ્માત, 2 વ્યક્તિના મોત
ત્યારે કથિત ભેદભાવના આરોપો સાથે દશેરાના દિવસે ગુજરાતમાંથી અંદાજે અનુસૂચિત જાતિના 563 લોકોએ ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. અનુસૂચિત જાતિના લોકો પોતાની સાથે ગેરવર્તનનો આરોપ લગાવીને ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. દશેરાના દિવસે ઈડરમાંથી 105, અમદાવાદમાં 148 અને મહેસાણામાં 310 લોકોએ ધર્મપરિવર્તન કરાવ્યું હતુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો