સરહદ પાર POKમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી બાદ સેના અધ્યક્ષની પાકિસ્તાનને ચેતવણી
સરહદ પાર પીઓકેમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હોવાની બાતમીના આધારે ભારતીય સેનાએ પીઓકેમાં સક્રિય આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કર્યા છે. સેનાની કાર્યવાહીમાં 6થી 10 જેટલા પાકિસ્તાની સૈનિકો અને કેટલાક આતંકવાદીઓ ઠાર થયા છે. આ પણ વાંચોઃ 21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા તમામ […]
સરહદ પાર પીઓકેમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હોવાની બાતમીના આધારે ભારતીય સેનાએ પીઓકેમાં સક્રિય આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કર્યા છે. સેનાની કાર્યવાહીમાં 6થી 10 જેટલા પાકિસ્તાની સૈનિકો અને કેટલાક આતંકવાદીઓ ઠાર થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અથમુકમ, જુરા અને કુંદલશાહીમાં આતંકી કેમ્પો નષ્ટ કરાયા છે. કેટલાક કેમ્પોને ભારે નુકસાન થયું છે. જો પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે તો ભારત ચૂપ નહીં બેસે તેવું સ્પષ્ટ શબ્દોમાં આર્મી ચીફ બિપીન રાવતે જણાવી દીધુ છે.