શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે
નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છો તો ફળાહારમાં એવા આહાર લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય અને તમારો દિવસ તાજગી અને સ્ફૂર્તિમાં પસાર થાય. આ માટે જાણો ઉપવાસમાં કેવો આહાર લેવો ફાયદાકારક છે. આ પણ વાંચો: નવરાત્રીના […]
નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છો તો ફળાહારમાં એવા આહાર લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય અને તમારો દિવસ તાજગી અને સ્ફૂર્તિમાં પસાર થાય. આ માટે જાણો ઉપવાસમાં કેવો આહાર લેવો ફાયદાકારક છે.
આ પણ વાંચો: નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો ‘સાબુદાણા વડા’, જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત
કેળા
આ દિવસોમાં કેળાનો આહાર લેવાથી ખુબ ફાયદા થાય છે. કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાકવાના પ્રશ્નથી બચાવે છે.
મોસંબી
મોસંબીમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે તમને અનેક રોગોથી બચાવે છે. આ સાથે મોસંબીનો જ્યુસ તમારા શરીરમાં સ્ટેમિના પણ બનાવી રાખે છે.
બટાકા
બાફેલા કે શેકેલા બટાકા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. બટાકાનો ખોરાક રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.
નારિયળ પાણી
ઉપવાસના સમયે નારિયેળ પાણી પીવાથી ઇલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઓછુ કરવાનું કામ કરે છે. લોકો ઉપવાસ દરમિયાન નારિયળ પાણી પીવાનું પસંદ કરે છે.
છાશ
શરીરમાં પાણીની ઉણપ ન થાય તેના માટે છાશ પીવો. જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે. છાશ તમને શરીરમાં એક એનર્જી ડ્રીંક પૂરું પાડે છે. ખાસ કરીને બપોરના સમયે છાશ પીવી ફાયદાકારક છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાબુદાણા
સાબુદાણા શરીરમાં જમા થયેલું વધારાનું પાણી કાઢવામાં મદદ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે.
પપૈયુ
ઉપવાસ વખતે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને ગેસની તકલીફથી પણ બચાવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]