બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ નજીક બસ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી
અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટનામાં 21 ના મોત અને 54 ઇજાગ્રસ્તોને પરિવારની બસ ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી છે. બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનો ખુલાસો ડ્રાઈવરે કર્યો. અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક સર્જાયેલ અકસ્માતમાં 21 લોકોના મોત નિપજયા છે. જયારે 54 લોકોને ગંભીર ઈજા થઈ છે. જે ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર […]
અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટનામાં 21 ના મોત અને 54 ઇજાગ્રસ્તોને પરિવારની બસ ડ્રાઈવર અને તેના પરિવારે માગી માફી છે. બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનો ખુલાસો ડ્રાઈવરે કર્યો. અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક સર્જાયેલ અકસ્માતમાં 21 લોકોના મોત નિપજયા છે. જયારે 54 લોકોને ગંભીર ઈજા થઈ છે. જે ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બસ ડ્રાઈવર અને તેના પરિવારે મૃતક અને ઈજાગ્રસ્તના પરિવારની માફી માંગી છે. સાથે જ બસ ડ્રાઈવર મુનીર વોરાના પિતાએ મુનીરનો કોઈ વાક ન હોવાનું જણાવી આકસ્મિક બનાવનું નિવેદન આપ્યું છે. અને દિલગીરી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ગાંધી જયંતિ નિમિત્તે 24 પૈકી એક કેદીના મદદગાર બન્યા પોલીસ અધિકારી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આણંદમા રહેતો અને નડીયાદમાં પાટીલ ટ્રાવેલ્સમાં નોકરી કરતો બસ ડ્રાઈવર મુનીર વોરા અંબાજીથી ઉંઝા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ત્રિશુલીયા ઘાટ પાસે બસની બ્રેક ફેલ થઈ જતા સમગ્ અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં 21 લોકોના મોત નિપજયા જયારે 54 લોકો ઘાયલ થયા છે. જે ઘટનામાં બસ ડ્રાઈવર મુનીર વોરાને પણ ઈજા થતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. અકસ્માતની ઘટનામાં મુનીરને આંખ, મોં અને મગજના ભાગે ઈજા થઈ છે. જેમાં મુનીર વોરાનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું, તો સાથે જ મુનીરને મગજના ભાગે વધુ ઈજા થતા તેની પણ સારવાર ચાલી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અકસ્માતની આ ઘટનામાં મુનીરનો પરિવાર પણ ભાગી પડયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મુનીર વોરાના પરિવારમાં તેની પત્ની છે. જે હાલ ગર્ભવતી છે અને પોતાના પીયરમાં રહે છે. અને તેના માતા પિતા છે જેઓ 24 કલાક મુનીર સાથે હોસ્પિટલમા રહે છે. અકસ્માતની આ ઘટનામા મુનીરને પુછતા તેણે તેની ભૂલ સ્વીકારી માફી માગી હતી. સાથે જ બ્રેક ફેલ થઈ જવાના કારણે જ અકસ્માતની ઘટના બની હોવાનું મુનરે જણાવી તેનાથી બચાવી શકાય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યા હોવાનું પણ જણાવ્યું. તો આ તરફ મુનીરના પિતાએ મોત નિપજેલા લોકોના પરિવાર માટે માફી માંગી દિલગીરી વ્યક્ત કરી.