મહિલાઓ પર અત્યાચાર કરનારા આરોપીઓને ઝડપી સજા આપવામાં આવે, સમાજસેવક અન્ના હજારેએ PM મોદીને લખ્યો પત્ર
સમાજસેવક અન્ના હજારેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે ગુનેગારોને જલ્દીમાં જલ્દી સજા આપવાની માગ કરી છે. સાથે જ મહિલાઓની સલામતીને લગતા સક્ષમ કાયદા બનાવવા માટે પણ વિનંતી કરી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ […]
સમાજસેવક અન્ના હજારેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે ગુનેગારોને જલ્દીમાં જલ્દી સજા આપવાની માગ કરી છે. સાથે જ મહિલાઓની સલામતીને લગતા સક્ષમ કાયદા બનાવવા માટે પણ વિનંતી કરી છે.
અન્ના હજારે તેમના ગામ રાલેગણ સિદ્ધીમાં 20 ડિસેમ્બરથી મહિલાઓની સલામતીને લઈ મૌન વ્રત પર છે. પત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી થશે નહીં, ત્યાં સુધી મારૂ મૌન વ્રત ચાલુ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પત્રમાં લખ્યું કે અત્યાચારનો કોઈ ધર્મ નથી હોતો અને આવી હરકત વધારે પીડા આપે છે અને ચિંતા વધારે છે. પછી એ ઉન્નાવ, કઠુઆ, કોપડી, બક્સર કે દેશમાં મહિલાઓની સાથે થયેલી કોઈ પણ ઘટના હોય. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ મહત્વપૂર્ણ વ્યક્તિઓની સુરક્ષામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અન્ના હજારેની Y શ્રેણીની સુરક્ષાને વધારીને Z શ્રેણીની કરી દેવામાં આવી છે. ત્યારે સચિન તેંદુલકરની સુરક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
અન્ના હજારેએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખ્યો છે. પત્રમાં કહ્યું કે મંદિરમાં રહેતાં મારા જેવા ફકીરની સુરક્ષામાં સરકાર મોટી રકમ ખર્ચ કરી રહી છે. તે યોગ્ય નથી. તેમને લખ્યું કે લોકોના ટેક્સના પૈસાનો દુરૂઉપયોગ મારાથી નથી જોવાતો. મને ઘણા લોકોએ ધમકી આપી છે પણ હું મૃત્યુથી ડરતો નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દુષ્કર્મ મામલે આરોપીઓને સજા મળવામાં વધુ સમય લાગતાં ચિંતા વ્યક્ત કરતાં થોડા દિવસ પહેલા અન્ના હજારેએ કહ્યું હતું કે પહેલા એક દુષ્કર્મી અને હત્યારાને 14 ઓગસ્ટ 2005માં પશ્ચિમ બંગાળમાં ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: માઉન્ટ આબુમાં સતત 5માં દિવસે તાપમાન શૂન્યથી નીચે, કાર અને ઘરની છત પર જામ્યો બરફ
અન્ના હજારેએ વડાપ્રધાન મોદીને લખેલા એક પત્રમાં કહ્યું કે દેશમાં મોતની સજા સંભળાવવામાં આવેલા કોઈ પણ પ્રકારના ગુનેગારને ફાંસીની સજા આપવામાં નથી આવી. વર્તમાનમાં 426 આરોપી ફાંસીની સજાની રાહ જોઈ રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]