આંખને વારંવાર મસળવાથી થઈ શકે છે આ ગંભીર નુકસાન
મોટાભાગના લોકોને આદત હોય છે ઉંઘીને ઉઠે ત્યારે અથવા થાકેલા હોય ત્યારે આંખ ચોળવાની. જો તમે પણ એવા લોકોમાં છો તો અમે તમને જણાવીએ છીએ કે લાંબા ગાળે આ જ આદત તમારી આંખ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]
મોટાભાગના લોકોને આદત હોય છે ઉંઘીને ઉઠે ત્યારે અથવા થાકેલા હોય ત્યારે આંખ ચોળવાની. જો તમે પણ એવા લોકોમાં છો તો અમે તમને જણાવીએ છીએ કે લાંબા ગાળે આ જ આદત તમારી આંખ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
આંખને ચોળવાથી આ નુકસાન થઈ શકે
1). આંખોને તમે બહુ જોરથી રબ કરો છો કે ચોળો છો તો તેનાથી તમારી આંખોની દ્રષ્ટિ નબળી પડી શકે છે અને આંખની નર્વ ડેમેજ થઈ શકે છે. તમે આંશિક રીતે દષ્ટિહીન પણ થઈ શકો છો.
2). કેટલાક લોકો જોરજોરથી આંખો મસળે છે, ત્યારે તેમની આંખોના કોર્નિયાને અસર થઈ શકે છે અને તેનાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. કેટલીકવાર આપણી આંખમાં કચરો જાય છે તો પણ આપણે જોરથી આંખો મસલીએ છીએ તેવું કરવાથી કોર્નિયા ફાટી પણ શકે છે.
3). કેટલીકવાર આપણે હાથ ધોયા વિના આંખને અડકીએ છીએ તેના કારણે ગંદા હાથ લાગવાથી આંખમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે જેમ કે કંજકટિવાઇટ્સ.
4). આંખોને મસળવાથી બચો. હાથ ધોયા વિના આંખને હાથ ન લગાવો.
5). જો તમને ડાર્ક સર્કલની પરેશાની હોય તો પણ આંખને મસળવાની આદત છોડી દેવી જોઈએ. તેનાથી આંખની નીચેની રક્તવાહીકાઓને નુકશાન થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો