VIDEO: દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં બોટ પલટી જતા 12 લોકોના મોત, 62 મુસાફર હતા સવાર
આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક બોટ ડૂબવાથી 12 લોકોના મોત થયા છે. અને 25થી વધુ લોકો લાપતા છે. હોળીમાં ક્રૂ મેમ્બર સહિત 62 લોકો સવાર હતા. અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય પર્યટન બોર્ડ દ્વારા સંચાલિત બોટમાં 63 લોકો સવાર હતા. જેમાંથી 23 લોકોને બચાવી લેવાયા છે. લાપતા લોકોને શોધવા માટે ONGCના હેલિકોપ્ટર અને NDRFની ટીમને […]
આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક બોટ ડૂબવાથી 12 લોકોના મોત થયા છે. અને 25થી વધુ લોકો લાપતા છે. હોળીમાં ક્રૂ મેમ્બર સહિત 62 લોકો સવાર હતા. અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય પર્યટન બોર્ડ દ્વારા સંચાલિત બોટમાં 63 લોકો સવાર હતા. જેમાંથી 23 લોકોને બચાવી લેવાયા છે. લાપતા લોકોને શોધવા માટે ONGCના હેલિકોપ્ટર અને NDRFની ટીમને રાહત અને બચાવ કાર્ય માટે બોલાવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ અધિકારીઓ સાથે વાત કરી હતી. અને બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. 2 દિવસ પહેલા ગણેશ વિસર્જનમાં મધ્યપ્રદેશ ખાતે 12 લોકોના ડૂબી જવાથી મોત થઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો