VIDEO: મહી નદીમાં તણાયેલા વૃદ્ધ 4 કલાક સુધી જીવન અને મોત વચ્ચે ઝઝૂમ્યા, ડ્રોન કેમેરો બન્યો વરદાનરૂપ અને વૃદ્ધનો થયો બચાવ
રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાચી ઠેરવતી ઘટના બોરસદના ગાંજણા ગામે બની છે. જ્યાં મહી નદીમાં છોડાયેલા 7 લાખ ક્યસેક પાણીના કારણે મહી નદી ગાડીતુર બની છે. ત્યારે શનિવારે ગંભીરા પુલ પાસે એક વૃદ્ધ પાણી જોવા ગયા અને તેમનો પગ લપસી ગયો હતો. ધસમસતા પાણીમાં મનુભાઈ ગોહેલ નામના વૃદ્ધ જીવન અને મોત વચ્ચે આગળ […]
રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાચી ઠેરવતી ઘટના બોરસદના ગાંજણા ગામે બની છે. જ્યાં મહી નદીમાં છોડાયેલા 7 લાખ ક્યસેક પાણીના કારણે મહી નદી ગાડીતુર બની છે. ત્યારે શનિવારે ગંભીરા પુલ પાસે એક વૃદ્ધ પાણી જોવા ગયા અને તેમનો પગ લપસી ગયો હતો. ધસમસતા પાણીમાં મનુભાઈ ગોહેલ નામના વૃદ્ધ જીવન અને મોત વચ્ચે આગળ ઝઝૂમતા ઝઝૂમતા પ્રવાહમાં ખેંચાઈ રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તે દરમિયાન સારોલ ગામના કેટલાક યુવાનો નદીના દૃશ્યો ડ્રોન કેમેરામાં શુટ કરી રહ્યા હતા અને શૂટિંગ દરમિયાન તેમને નદીના પ્રવાહમાં વૃદ્ધ નજરે પડ્યા હતા. ત્યારબાદ સારોલ અને સ્થાનિક તરવૈયાઓએ વૃદ્ધને પૂરના પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.
વૃદ્ધે પાણી બહાર આવીને જણાવ્યુ કે તેઓ આશરે 4 કલાકથી વધુ સમયથી પાણીમાં તણાય રહ્યા હતા. જો કે તેમનો જીવ બચી જતા તેમણે બધાનો આભાર માન્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો