પાકિસ્તાનથી આવેલાં દરેક શરણાર્થીને નાગરિકતા આપીને જ જંપીશું: અમિત શાહ
દેશભરમાં CAA કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં આ કાયદાને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક શરણાર્થીઓની વાત કરે છે અમુક સંવિધાનની પ્રક્રિયાની વાત કરે છે. પ્રદર્શનકારીઓ સતત પ્રદર્શન કરી રહ્યાં છે અને તેની વચ્ચે સરકાર પણ પોતાના વલણ પર અડગ છે. સરકારે આ કાયદાને 10 જાન્યુઆરીથી લાગુ કરી દીધો […]
દેશભરમાં CAA કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં આ કાયદાને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક શરણાર્થીઓની વાત કરે છે અમુક સંવિધાનની પ્રક્રિયાની વાત કરે છે. પ્રદર્શનકારીઓ સતત પ્રદર્શન કરી રહ્યાં છે અને તેની વચ્ચે સરકાર પણ પોતાના વલણ પર અડગ છે. સરકારે આ કાયદાને 10 જાન્યુઆરીથી લાગુ કરી દીધો છે અને તેની જાહેરાત પણ કરી દેવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?
અમિત શાહે શું કહ્યું? મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ત્યાં જ આ કાયદાના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. અમિત શાહે ત્યાં હાજરી આપી હતી. રવિવારના રોજ આયોજીત એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે દેશની આઝાદીના સમયે મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાનમાં રહી ગયા હતા. તેમની પર અત્યાચાર થઈ રહ્યાં છે. તેમની સંખ્યા સતત ઘટી રહી છે. આ કાયદો કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી પણ આ કાયદો તો નાગરિકતા આપવા માટે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને અન્ય દળો દેશમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. રમખાણ કરાવવાનું કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ જેટલો પણ વિરોધ કરી લે, પાકિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા બધા જ ભારતીય લોકોને નાગરિકતા આપવામાં આવશે નહીં ત્યા સુધી અમે આરામથી નહીં બેસીશું. આમ મોદી સરકારે નક્કી જ કરીશું લીધું કે તેઓ કાયદાને લઈને પીછેહઠ કરવાના કોઈ મૂડમાં જ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]