તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી, જાણો શા માટે ડુંગળી ખરીદવા માટે નથી તૈયાર
ડુંગળીના ભડકે બળતા ભાવ પર અંકૂશ લાવવા સરકારે તુર્કીથી ડુંગળી મંગાવી છે. તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી ગઈ છે. જો કે હજુ પણ દેશી ડુંગળી 70થી 75 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. અને આ ભાવ ઓછા થાય તેવા સંકેત પણ ઓછા છે. કેમ કે તુર્કીથી આવેલી ડુંગળી દેશી ડુંગળીની તુલનાએ સ્વાદમાં ફીકી છે. […]
ડુંગળીના ભડકે બળતા ભાવ પર અંકૂશ લાવવા સરકારે તુર્કીથી ડુંગળી મંગાવી છે. તુર્કીથી આવેલી ડુંગળી સુરતના બજારોમાં પહોંચી ગઈ છે. જો કે હજુ પણ દેશી ડુંગળી 70થી 75 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. અને આ ભાવ ઓછા થાય તેવા સંકેત પણ ઓછા છે. કેમ કે તુર્કીથી આવેલી ડુંગળી દેશી ડુંગળીની તુલનાએ સ્વાદમાં ફીકી છે. તો સાઈઝમાં પણ દેશી ડુંગળી કરતા ઘણી મોટી છે. એટલે લોકો સૌરાષ્ટ્ર અને નાસિકની દેશી ડુંગળી ખરીદવાનું જ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો, જાણો કેટલા રૂપિયાની હતી ડુંગળી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો