બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણી, JDUને 122, BJPના ફાળે 121 બેઠક
બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ (NDA)માં બેઠકોની વહેચણી કરી દેવાઈ છે. જનતાદળ યુનાઈટેડ (JDU)ને 122 બેઠક તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે 121 બેઠક આવી છે. જનતાદળ યુનાઈટેડ, પોતાના ફાળે આવેલી 122 બેઠકમાંથી જીતનરામ માંઝીના હિન્દુસ્તાન આવામ મોર્ચાને 7 બેઠક ફાળવશે. તો ભાજપ, તેના ફાળે આવેલી બેઠકોમાંથી વિકાસશીલ ઈંસાન પાર્ટીને કેટલીક બેઠક ફાળવશે. જનતાદળ પોતાના […]
બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ (NDA)માં બેઠકોની વહેચણી કરી દેવાઈ છે. જનતાદળ યુનાઈટેડ (JDU)ને 122 બેઠક તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે 121 બેઠક આવી છે. જનતાદળ યુનાઈટેડ, પોતાના ફાળે આવેલી 122 બેઠકમાંથી જીતનરામ માંઝીના હિન્દુસ્તાન આવામ મોર્ચાને 7 બેઠક ફાળવશે. તો ભાજપ, તેના ફાળે આવેલી બેઠકોમાંથી વિકાસશીલ ઈંસાન પાર્ટીને કેટલીક બેઠક ફાળવશે. જનતાદળ પોતાના ભાગે આવેલી બેઠકમાંથી જીતનરામ માઝીના પક્ષને ટિકીટ આપતા નિતીશકુમારની પાર્ટી 115 બેઠક પર ચૂંટણી લડશે.
મિડીયા રિપોર્ટ અનુસાર, બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે કહ્યુ છે કે, તેમની સરકારે કામ કર્યું છે. આખરે તો પ્રજા જ માલિક છે. જનતા જ આખરી ફેસલો કરશે. જેડીયુ અને ભાજપ ભેગા મળીને કામ કરી રહ્યાં છે અને કરતા રહેશે. બન્ને પક્ષમાં કોઈ વિખવાદ નથી. એનડીએના શાસનકાળ દરમિયાન બિહારમા અનેક લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. રાજ્યનું બજેટ પણ વધ્યુ છે.
લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પ્રમુખ ચિરાગ પાસવાને જેડીયુ સાથે જોડાણ નહી કરવા બાબતે આપેલા નિવેદન અંગે નિતીશ કુમારે જણાવ્યુ હતુ કે, કોણ શુ બોલે છે તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. હાલ એલજેપીની વિધાનસભામાં માત્ર બે જ બેઠક છે. અમે ઈચ્છીએ છીએ કે રામવિલાસ પાસવાન બિહારમાંથી ચૂંટણી જીતીને રાજ્યસભામાં જાય અને ભાજપ-જેડીયુની મદદથી જ જીતે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો