VIDEO: ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આક્ષેપોને ફગાવ્યા બાદ કહ્યું, કોઈના આશીર્વાદની જરૂર નથી
દેવેન્દ્ર ફડણવીસના આરોપોને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધા છે. ઉદ્ધવે દાવો કર્યો છે કે અમિત શાહ સાથે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. તેમણે કહ્યું કે શિવસેના જુઠ્ઠુ બોલનારાની પાર્ટી નથી. ઉદ્ધવે તો એમ પણ કહ્યું કે શિવસેના તરફથી વાતચીતના દરવાજા ખુલ્લા હતા. પરંતુ જુઠ્ઠુ બોલનારા સાથે શિવસેના વાત નથી કરતી. સાથે ઉદ્ધવ […]
દેવેન્દ્ર ફડણવીસના આરોપોને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધા છે. ઉદ્ધવે દાવો કર્યો છે કે અમિત શાહ સાથે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. તેમણે કહ્યું કે શિવસેના જુઠ્ઠુ બોલનારાની પાર્ટી નથી. ઉદ્ધવે તો એમ પણ કહ્યું કે શિવસેના તરફથી વાતચીતના દરવાજા ખુલ્લા હતા. પરંતુ જુઠ્ઠુ બોલનારા સાથે શિવસેના વાત નથી કરતી. સાથે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે વાયદો થયો તેના માટે અમિત શાહ અને ભાજપના આશીર્વાદની જરૂર નથી.
આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે 15 દિવસ થયા, છતાં હજુ સીએમ પદને લઇને કોકડું ગુચવાયેલું જ છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું. CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે શિવસેના સામે ઉકળાટ કાઢ્યો. ફડણવીસે શિવસેનાના વલણ સામે બળાપો કાઢ્યો અને ક્હયું કે છેલ્લા દિવસોમાં શિવસેનાના નિવેદન વિપક્ષી પાર્ટીઓને પણ શરમાવે તેવા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફડણવીસે દાવો કર્યો કે કોઇ દિવસ અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત નથી થઈ. શિવસેના કેટલાક નેતાઓના નિવેદનને કારણે ભાજપ સાથે સંબંધ બગાડી રહી છે.