વહેલાં જાણ થવાથી બચી ગયા ભારતના રાષ્ટ્રપતિ, વિમાનમાં હતી મોટી ખામી!
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ જઈને રહેલાં વિમાનમાં એક મોટી ખામી સામે આવી છે. એર ઈન્ડિયાના વિમાનમાં રડર ફોલ્ટની ખામી સામે આવી હતી. જ્યૂરિક ખાતે વિમાનમાં આ ખામી સામે આવી જેના લીધે રાષ્ટ્રપતિ કોવિંદનું વિમાન 3 કલાક જેટલું મોડી ઉડી શક્યું હતું. જો આ ખામી પકડાઈ ના હોત તો મોટી દૂર્ઘટના થઈ શકે તેમ હતી. વિમાનનું […]
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ જઈને રહેલાં વિમાનમાં એક મોટી ખામી સામે આવી છે. એર ઈન્ડિયાના વિમાનમાં રડર ફોલ્ટની ખામી સામે આવી હતી. જ્યૂરિક ખાતે વિમાનમાં આ ખામી સામે આવી જેના લીધે રાષ્ટ્રપતિ કોવિંદનું વિમાન 3 કલાક જેટલું મોડી ઉડી શક્યું હતું. જો આ ખામી પકડાઈ ના હોત તો મોટી દૂર્ઘટના થઈ શકે તેમ હતી. વિમાનનું ક્રેશ લેન્ડિંગ પણ આ પરિસ્થિતિમાં કરાવવું પડી શકે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCPનું ગઠબંધન નક્કી, જાણો કઈ પાર્ટી કેટલી સીટ પર લડશે ચૂંટણી?
જાણો શું હોય છે રડર ફોલ્ટ જેના લીધે વિમાન થઈ શકે છે ક્રેશ? રડર ફોલ્ટ એક એવી ખામી જેને લીધે વિમાન પોતાની દિશા ભૂલી જાય છે. આ ખામીને સુધારવાની સામે મોટી મોટી કંપનીઓ પણ કામે લાગેલી છે. વિમાનના પાછળના ભાગમાં રડર લગાવેલાં હોય છે જે દિશાને નિયંત્રિત કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યારે રડર ફોલ્ટ સર્જાઈ ત્યારે તે કામ કરવાનું બંધ કરી દે છે અને તેના લીધે વિમાન એકાએક જમણી કે ડાબી બાજુ નમી જાય છે. આમ વિમાનનું નિયંત્રણ જ ખોરવાઈ જાય છે. ઘણીવાર એકબાજુ નમવાથી વિમાનની પાંખો તૂટી જાય છે અને વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે. જ્યારે રડર ફોલ્ટ સર્જાઈ ત્યારે ગમે તેવો કુશળ પાયલોટ હોય તે પણ વિમાનને કાબૂ કરી શકતો નથી. અચાનક જ વિમાન બેકાબૂ થઈ જાય છે અને મોટી દૂર્ઘટના સર્જાઈ શકે છે. 40 વર્ષોમાં બોઈંગ વિમાનમાં આવી 40 ઘટનાઓ સામે આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]