એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા પેસેન્જર માટે સારા સમાચાર, કોરોનાના કારણે લદાયેલી બેગેજ મર્યાદા હટાવાઈ
કોરોનામાં લોકડાઉન દરમ્યાન સૌથી વધુ આર્થિક ફટકો એરલાઈન્સ કંપનીઓને પડયો છે. હવે અનલોક દરમ્યાન સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે, ત્યારે મુસાફરોને આકર્ષવા એરલાઈન્સ કંપનીઓ જોર લગાવી રહી છે. એર ઈન્ડિયાએ મુસાફરો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. કોરોનાના કારણે બેગેજની સંખ્યા અને વજન ઉપર લદાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા […]
કોરોનામાં લોકડાઉન દરમ્યાન સૌથી વધુ આર્થિક ફટકો એરલાઈન્સ કંપનીઓને પડયો છે. હવે અનલોક દરમ્યાન સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે, ત્યારે મુસાફરોને આકર્ષવા એરલાઈન્સ કંપનીઓ જોર લગાવી રહી છે. એર ઈન્ડિયાએ મુસાફરો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. કોરોનાના કારણે બેગેજની સંખ્યા અને વજન ઉપર લદાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા દ્વારા પ્રતિબંધ હટાવી લેવાતા હવે ઈકોનોમી ક્લાસના પેસેન્જર 25 કિલો અને બિઝનેસ ક્લાસના પેસેન્જર 35 કિલો બેગેજ કોઈ પણ પ્રકારના વધારાના શુલ્કની ચુકવણી વગર લઈ જઈ શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એર ઈન્ડિયાએ તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા મુસાફરોને આ માહિતી આપવામાં આવી છે, જેમાં બેગેજને લઈ પ્રિ-કોવીડ નિયમ લાગુ કરાયા હોવાનું જણાવાયું છે. કોરોના લોકડાઉન બાદ જયારે હવાઈ મુસાફરી સેવા શરુ કરાઈ, ત્યારે કોરોનાના ભયના કારણે મર્યાદાઓ લાગુ પડાઈ હતી. એર ઈન્ડિયાના યાત્રીઓને માત્ર એક જ બેગેજની પરવાનગી આપવામાં આવતી હતી. એક જ બેગેજ સાથે વજનની મર્યાદા પણ 23 કિલો રાખવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કોરોનાના કારણે ચેકઈન પ્રોસેસમાં સમય વધુ લાગે છે, જેને ધ્યાને રાખી નવા નિયમ સાથે યાત્રીઓને એરપોર્ટ ઉપર થોડા જલ્દી પહોંચવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો