અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર AIMPLB દાખલ કરશે પુનર્વિચાર અરજી
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ સાથે AIMPLBએ કહ્યું કે, મસ્જિદ માટે અન્ય જગ્યાએ આપવામાં આવેલી 5 એકર જમીન મંજૂર નથી. AIMPLBના મત પ્રમાણે તેઓ બીજી જગ્યાએ જમીન મેળવવા માટે અદાલતમાં પહોંચ્યા નહોતા. તેમને એ સ્થાન પર જ જમીન જોઈએ જ્યાં બાબરી […]
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ સાથે AIMPLBએ કહ્યું કે, મસ્જિદ માટે અન્ય જગ્યાએ આપવામાં આવેલી 5 એકર જમીન મંજૂર નથી. AIMPLBના મત પ્રમાણે તેઓ બીજી જગ્યાએ જમીન મેળવવા માટે અદાલતમાં પહોંચ્યા નહોતા. તેમને એ સ્થાન પર જ જમીન જોઈએ જ્યાં બાબરી મસ્જિદ બની હતી.
આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લખનૈઉમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે AIMPLBની આજે લાંબી બેઠક યોજાઈ હતી. પહેલા આ બેઠક નદવા ઈસ્લામિક સેન્ટર ખાતે થવાની હતી. પરંતુ એક શિક્ષણ સંસ્થાનમાં મિટિંગ કરવાનું કેટલાક સદસ્યોને યોગ્ય ન લાગતા સ્થાન બદલ્યું હતું. જે બાદ લખનૈઉના મુમતાજ કોલેજમાં બેઠક યોજાઈ હતી.
બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ દ્વારા AIMPLBના સદસ્ય કાસિમ રસૂલ ઈલિયાસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો