Ahmedabad : ફુટ ઓવર બ્રીજની મજા માણવા ખર્ચવા પડશે આટલા રૂપિયા, મે માસમાં લોકાર્પણની શક્યતા
અમદાવાદનો(Ahmedabad) આ ફૂટ ઓવર બ્રીજ એક એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે, બ્રીજ પશ્ચિમકાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડ ના વચ્ચે ના પ્લાઝામાંથી થઇ પૂર્વકાંઠે બનનાર એક્ઝીબીશન/કલ્ચરલ આર્ટ સેન્ટર ને જોડશે. બીજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રીવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.આ બ્રીજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે.
અમદાવાદ(Ahmedabad) શહેરમાં સાબરમતી રીવરન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ(SRDFL) અંતગત સાબરમતી નદી ઉપર એલીસબ્રીજ તથા સરદારબીજની વચ્ચે રૂપિયા પંચોતેર કરોડ ના ખર્ચે ફુટ ઓવર બ્રીજ (Foot Over Bridge ) નું આયોજન કરવામાં આવેલ છે. જે પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રીયન અને સાયકલીસ્ટને સરળતાથી જોડશે. આઇકોનીક બીજ રીવરફન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે તથા આ બ્રીજ એક એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે, બ્રીજ પશ્ચિમકાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડ ના વચ્ચે ના પ્લાઝામાંથી થઇ પૂર્વકાંઠે બનનાર એક્ઝીબીશન/કલ્ચરલ આર્ટ સેન્ટર ને જોડશે. બીજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રીવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.આ બ્રીજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે. તથા બ્રીજ નયનરમ્ય દૃશ્ય પ્રદાન કરશે તેમજ 2 – ફૂટ કિઓસ્ક 14- સીટીંગ કમ પ્લાન્ટર, પારદર્શક કાચનું ફલોરીંગ અને અન્ય વિવિધ મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ફૂટ ઓવર બ્રીજ શહેરના રાહદારીઓ માટે ઉપયોગી સાબિત થશે. તેમજ તે શહેરના આયોજન માટેના નવા અભિગમોને પ્રતિબિંબિત કરશે. જેમાં બ્રીજની વિશેષતાઓ જોઇએ તો
- કુલ લંબાઇ 300 મીટર વચ્ચેનો સ્પાન : 100 મીટર
- પહોળાઇ : બ્રીજના છેડેના ભાગે : 10 મીટર તેમજ બીજના વચ્ચેના ભાગે : ૧૪મીટર
- બ્રીજમાં સાબરમતી રીવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ(ફુટપાથ) ઉપરથી બન્ને બાજુએથી(પશ્ચિમકાંઠે અને પૂર્વકાંઠે) પ્રવેશ કરી શકાશે.
- ડીઝાઇન આઇકોનીક સ્ટીલ બ્રીજમાં સ્ટીલનું વજન ૨૬૦૦ મે.ટન વજનનુ લોખડનુ પાઇપનુ સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રકચરની છત
- વચ્ચેના ભાગે વુડન ફલોરીંગ બાકીના ભાગે ગ્રેનાઇટ લોરીગ, પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
- વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશનની વ્યવસ્થા
- ડાયનેમીક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલ.ઇ.ડી. લાઇટીંગ
આ પણ વાંચો : સુરતમાં ભાગીદારી પેઢીના વેરીફીકેશન માટે આવેલાં સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા
આ પણ વાંચો : Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો