VIDEO: અમદાવાદમાં કાલુપુર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ, નહેરુબ્રિજ પણ અવર-જવર માટે બંધ
અમદાવાદના કાલુપુરમાં ફ્રૂટ અને શાક માર્કેટ પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે. પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. આ પણ વાંચો: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે […]
અમદાવાદના કાલુપુરમાં ફ્રૂટ અને શાક માર્કેટ પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે. પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.
ઉપરાંત નેહરુબ્રિજને પણ બંધ કરવા સૂચના આપી છે. નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર નહીં કરી શકે. આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો