VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા
સાબરમતી નદીને ફરી સ્વચ્છ બનાવવાનું અમદાવાદ શહેરના લોકોએ અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે આજે સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈમાં જોડાયા છે. ભાજપ સહિત કોંગ્રેસ કમિટીના કાઉન્સિલરો પણ સાબરમતી નદીને ફરી સ્વચ્છ કરવા આ અભિયાનમાં જોડાયા છે. રિવરફ્રન્ટના અટલ ઘાટમાં કોંગ્રેસે સાબરમતી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ છે. આ પણ વાંચો: ખેડુતો […]
સાબરમતી નદીને ફરી સ્વચ્છ બનાવવાનું અમદાવાદ શહેરના લોકોએ અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે આજે સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈમાં જોડાયા છે. ભાજપ સહિત કોંગ્રેસ કમિટીના કાઉન્સિલરો પણ સાબરમતી નદીને ફરી સ્વચ્છ કરવા આ અભિયાનમાં જોડાયા છે. રિવરફ્રન્ટના અટલ ઘાટમાં કોંગ્રેસે સાબરમતી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ છે.
આ પણ વાંચો: ખેડુતો માટે સારા સમાચાર પાક વીમો મળશે હવે નજીકની પોસ્ટ ઓફિસમાં, આયોજનને 100 દિવસમાં શરૂ કરવાનુ લક્ષ્ય
આજે મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ નદીને સ્વચ્છ બનાવવા જોડાયા હતા. મહત્વનું છે કે સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનના શરૂઆતના 2 દિવસોમાં જ 22 ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તો ગટરમાંથી ઠલવાતા રોજના લાખો લીટર દૂષિત પાણીને પણ હવે રોકી દેવામાં આવ્યુ છે. સાબરમતી નદી ફરી દૂષિત ન થાય તે માટે શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ લોકોને પણ જાગૃત થઈ., નદીમાં ધાર્મિક સાધન સામગ્રી સહિતનો કચરો ન ફેંકવા અપીલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો