સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા, ડૉક્ટર, નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુ સ્ટાફને ડેન્ગ્યુની અસર
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક તરફ જ્યાં વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ડોક્ટર,નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુના સ્ટાફને ડેન્ગ્યુની અસર થઈ છે. આમ 21 દિવસમાં કુલ 416 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે. […]
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક તરફ જ્યાં વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ડોક્ટર,નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુના સ્ટાફને ડેન્ગ્યુની અસર થઈ છે. આમ 21 દિવસમાં કુલ 416 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 3 સપ્તાહમાં ટાઈફોડના 531 કેસ તો, મેલેરિયાના પણ 447 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે ધંધા અને વેપારમાં નાણા કમાવવાનો ઉત્તમ યોગ સર્જાશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનિય છે કે, મચ્છરોના ઉપદ્રવને નાથવા કોર્પોરેશન દ્વારા કુલ 3 નોટિસ પાઠવવામાં આવી હતી. અને મચ્છરોના પારાનો નાશ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે તકેદારીના ભાગ સ્વરૂપે કોઈ એક્શન ન લેવાતા. હોસ્પિટલમાં ખુદ તબીબો અને તેમનો સ્ટાફ પણ સારવાર લઈ રહ્યો છે. મહત્વનું છે કે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેને પગલે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો