અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ગુમ પશુ મુદ્દે તપાસના આદેશ
અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ઢોર ગુમ થવા મુદ્દે મ્યુ.કમિશનર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ કથિત ઢોર કૌભાંડ મુદ્દે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવા માટે આદેશ કર્યા છે. હાલ આ સમગ્રમ મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ આ સમગ્રમ મામલે પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. આ […]
અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ઢોર ગુમ થવા મુદ્દે મ્યુ.કમિશનર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ કથિત ઢોર કૌભાંડ મુદ્દે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવા માટે આદેશ કર્યા છે. હાલ આ સમગ્રમ મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ આ સમગ્રમ મામલે પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.
આ પણ વાંચોઃ રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો
મહત્વપૂર્ણ છે કે ગઇકાલે શાસક નેતા અમિત શાહે ઢોર ગુમ થવા મુદ્દે ફરિયાદ કરી હતી. અને કોર્પોરેશનના અધિકારીઓ પર ઢોર ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે આ તપાસમાં શું તથ્ય સામે આવે છે. અને દોષિતો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો