અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ, HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નોની રાવ
અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ કર્યો છે. આચાર્યોએ ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો. પડતર પ્રશ્નોને લઈને સરકારને વારંવાર રજુઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો છે. HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નો ઉભા થયા હોવાની આચાર્યોની ફરિયાદ છે. HTAT કેડર 2012માં લાગૂ કરાઈ પણ હજી સુધી નિયમો નથી […]
અમદાવાદમાં HTAT આચાર્યોએ સરકાર સામે વિરોધ કર્યો છે. આચાર્યોએ ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો. પડતર પ્રશ્નોને લઈને સરકારને વારંવાર રજુઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ નોંધાવ્યો છે. HTAT કેડર લાગૂ કરાઈ ત્યારથી અનેક પ્રશ્નો ઉભા થયા હોવાની આચાર્યોની ફરિયાદ છે.
HTAT કેડર 2012માં લાગૂ કરાઈ પણ હજી સુધી નિયમો નથી બન્યા. મુખ્યશિક્ષકો અને જુનિયર શિક્ષકોના પગારમાં વિસંગતતા છે. મુખ્ય શિક્ષક માટે બઢતી જેવા નિયમો હજુ નથી બનાવાયા. આચાર્યોને પ્રમોશનમાં 4400 ગ્રેડ પે મળવા પાત્ર છતાં નથી અપાતો લાભ. આ તમામ પ્રશ્નોને લઈને આચાર્યોનો સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા આચાર્યોએ માગ કરી છે. કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો