અમદાવાદમાં કર્ફયુની જાહેરાતને લઇને લોકમુખે અનેક પ્રશ્નો, સરકારી આંકડામાં ગોલમાલની લોકોમાં ચર્ચા
સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે કે જો અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ નથી વધ્યા તો કર્ફયુ કેમ ? અને, જો કેસ વધ્યા છે તો સરકાર આંકડા જાહેર કેમ નથી કરતી. એટલે કે હવે ધીમધીમે […]
સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે કે જો અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ નથી વધ્યા તો કર્ફયુ કેમ ? અને, જો કેસ વધ્યા છે તો સરકાર આંકડા જાહેર કેમ નથી કરતી. એટલે કે હવે ધીમધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે કે સરકારના બતાવવાના જૂદા અને ચાવવાના જૂદા છે. જોકે હવે પ્રજા જાગૃત થઇ ગઇ છે.અને જનતા સરકાર પાસે જવાબ માગી રહી છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં પાછલા 6 દિવસમાં 1265 કેસ નોંધાયા. જ્યારે 1233 લોકોને ડિસ્ચાર્જ કરાયા.જે દર્શાવે છે કે પાછલા 6 દિવસમાં પોઝિટિવ કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. જોકે કેસ ઓછા હોવાછતા કરફ્યૂ જેવો કડક નિર્ણય કેમ લેવો પડ્યો તે સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. જનતા ડૉ.રાજીવ ગુપ્તા પાસે જવાબ માગે છે કે કરફ્યૂ લાદીને કેમ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. કેમ સરકાર સચ્ચાઇ છૂપાવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો