કૃષિબિલ સામે આક્રોશીત ખેડૂતોને મનાવવામાં કૃષિ પ્રધાનને ભરશિયાળે આવ્યો પરસેવો, ખેડૂતોની માંગ-સુધારા ઉપર ગુરૂવારે યોજાશે મંત્રણા
કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પંજાબ અને હરિયાણા રાજ્યની દિલ્લી સાથે જોડાયેલી સરહદે ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે. ઉતર ભારતમાં કડકડતી ઠંડીનો માહોલ હોવા છતા, રાત દિવસ છેલ્લા છ દિવસથી ખેડૂતો, કૃષિ કાયદો રદ કરવાની માંગ લઈને રસ્તા પર બેઠા છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકારમાં પણ ખેડૂતો […]
કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પંજાબ અને હરિયાણા રાજ્યની દિલ્લી સાથે જોડાયેલી સરહદે ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે. ઉતર ભારતમાં કડકડતી ઠંડીનો માહોલ હોવા છતા, રાત દિવસ છેલ્લા છ દિવસથી ખેડૂતો, કૃષિ કાયદો રદ કરવાની માંગ લઈને રસ્તા પર બેઠા છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકારમાં પણ ખેડૂતો સાથે મંત્રણા યોજવા માટે ધમઘમાટ ચાલી રહ્યો છે. કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને, ખેડૂતોને ભઈબાપા કરતા કરતા ભર શિયાળામાં પરસેવો આવી ગયો છે. આજે ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ બિલમાં આવશ્યક સુધારાઓનો ડ્રાફ્ટ અને અન્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે, જેના ઉપર જરૂરી ચર્ચા વિચારણા કરીને કેન્દ્ર સરકાર આવતીકાલે ખેડૂત પ્રતિનિધિઓ સાથે મેજ ઉપર મંત્રણા કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો