IPL2020 જીત્યા પછી રોહીત શર્માએ કર્યુ ટવીટ, કહ્યુ મામુ આનુ ગણિત નબળુ છે
મુંબઇ ઇન્ડિયન્સ એ રેકોર્ડ પાંચમી વાર આઇપીએલ નો ખિતાબ જીતી લીધો હતો. ટી-20 લીગની ફાઇનલમાં પ્રથમ વાર ટાઇટલ નો મુકાબલો રમી રહેલી દિલ્હી કેપીટલ્સને તેણે હરાવ્યા હતા. મુંબઇ લગાતાર બીજી વાર આ ટ્રોફીને હાંસલ કરવામાં સફળ રહી છે. અત્યાર સુધી ટીમ માત્ર ઓડ ઇવન નંબર વાળા વર્ષો એટલે કે 2013,2015,2017 અને 2019માં ટાઇટલ જીત્યા હતા. […]
મુંબઇ ઇન્ડિયન્સ એ રેકોર્ડ પાંચમી વાર આઇપીએલ નો ખિતાબ જીતી લીધો હતો. ટી-20 લીગની ફાઇનલમાં પ્રથમ વાર ટાઇટલ નો મુકાબલો રમી રહેલી દિલ્હી કેપીટલ્સને તેણે હરાવ્યા હતા. મુંબઇ લગાતાર બીજી વાર આ ટ્રોફીને હાંસલ કરવામાં સફળ રહી છે. અત્યાર સુધી ટીમ માત્ર ઓડ ઇવન નંબર વાળા વર્ષો એટલે કે 2013,2015,2017 અને 2019માં ટાઇટલ જીત્યા હતા. ટુર્નામેન્ટને જીતીને તેણે આ ક્રમને પણ તોડી પાડ્યો હતો. મુંબઇના તમા ટી-20 લીગના ટાઇટલ રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ જીત્યા છે. ટી-20 લીગમાં વર્ષ 2012 સુધી તો એકપણ વાર ટાઇટલ જીતવામાં સફળ થઇ શક્યા નહોતા, પરંતુ હવે આઠ જ વર્ષમાં પાંચ વાર ખિતાબ જીતી લીધા છે.
ઇવન વાળા નંબરો વાળા વર્ષમાં ટી-20 લીગ ટુર્નામેન્ટે જીતીને રોહિત શર્માએ એ લોકો પર મજેદાર કોમેન્ટ કરી છે કે, જે લોકો એમ કહેતા હતા કે મુંબઇ ઓડ વર્ષમાં જ વિજેતા બને છે. તેમણે ટી-20 લીગ 2020 ની એક જુના વિજ્ઞાપનને ટ્વીટ કરતા લખ્યુ છે કે, આ વખતે તેમની ટીમ ઇવનમાં પણ જીતી ગઇ છે. રોહિતે જે વિજ્ઞાપન શેર કર્યો છે તે, ગત ફેબ્રુઆરી-માર્ચ માસ દરમ્યાન રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં રોહિત શર્મા એક અંધવિશ્વાસુ મામા થી વાત કરતો દેખાડવામાં આવ્યો હતો. મામા બનેલુ પાત્ર તેમને ઓડ નંબર વાળી ચિજોને ઇવન કરવાનુ કહેતો હોય છે, કારણ કે મુંબઇ આ વખતે પણ ટ્રોફી વિજેતા બની શકે. આની પર રોહિત કહે છે કે, બધા તમને બેવકુફ બનાવે છે. કારણ કે આ વખતે તો સિઝન જ ઓડ છે, તે કહે છે કે લીગની 13 મી સિઝન છે જે પોતે જ ઓડ છે.
https://twitter.com/ImRo45/status/1326793747238096896?s=20
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો