એક્ટર Dilip Kumarને કરવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ, સાયરાબાનુએ જણાવી તબિયતની હાલચાલ
હિન્દી સિનેમાના જાણીતા એક્ટર દિલીપ કુમારની (Dilip Kumar) તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તો દિલીપ કુમારનો ડોકટરોની દેખરેખ હેઠળ ઈલાજ ચાલી રહ્યો છે
હિન્દી સિનેમાના જાણીતા એક્ટર દિલીપ કુમારની (Dilip Kumar) તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તો દિલીપ કુમારનો ડોકટરોની દેખરેખ હેઠળ ઈલાજ ચાલી રહ્યો છે. ફેન્સ માટે રાહતની ખબર એ છે કે, દિલીપ કુમારને રવિવારે ડિસ્ચાર્જ કરી શકે છે. દિલીપ કુમારની પત્ની સાયરા બાનુંએ આ જાણકારી આપી છે.
સાયરા બાનુએ કહ્યું કે જો ભગવાનની કૃપાથી બધુ ઠીક છે, તો અમે રવિવારે જ દિલીપકુમારને ખાર હિન્દુજા નોન કોવિડ હોસ્પિટલથી ઘરે લઇ જઈશું. મુંબઇમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કોઈ પણ કારણોસર હોસ્પિટલમાં જવું જોખમી છે. આશા છે કે, દિલીપકુમાર જલ્દીથી સુરક્ષિત ઘરે પરત આવશે.
98 વર્ષીય દિલીપકુમારની તબિયત જોતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત હતી. અત્યારે તેની તબિયત સારી છે. ડોકટરો તેમની નિયમિત તપાસ કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચિત્ત દરમિયાન સાયરા બાનુએ કહ્યું કે ‘દિલીપકુમાર સાહેબ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે’. દરેકને સલામત રહેવાની અપીલ કરતા દિલીપ કુમારે તાજેતરમાં તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલને કોરોના રોગચાળાને ધ્યાનમાં લઈને દરેકની સંભાળ રાખવા કહ્યું હતું. તેમણે લખ્યું- “બધા લોકો સુરક્ષિત રહો.”
કોરોના સમયગાળા દરમિયાન દિલીપ કુમારની તબિયતને કારણે તેના ફેન્સ ખૂબ નારાજ થયા હતા. ઘણા ફેન્સે સોશિયલ મીડિયા પર દિગ્ગજ અભિનેતાના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી હતી. દિલીપ કુમારની સ્વસ્થતા માટે ચાહકો સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, સાયરા બાનુના આ નિવેદન બાદ દિલીપકુમારના ચાહકોને રાહત થઈ છે.
જણાવી દઈએ કે, દિલીપ કુમારે કોરોના સંકટને કારણે ગયા વર્ષે ડિસેમ્બર 2020 માં તેનો જન્મદિવસ મનાવવાનો ઇનકાર કર્યો હતો. 11 ડિસેમ્બર, 2020એ દિલીપકુમારનો જન્મદિવસ હતો. વર્ષ 2020 માં દિલીપ કુમારે કોરોનાને કારણે તેના બે ભાઈઓ ગુમાવી ચૂક્યો છે. તેમના જન્મદિવસ પ્રસંગે તેમની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે આ વર્ષે દિલીપ સાહેબ વૃદ્ધ થશે, પરંતુ તે શુભકામના અને પાર્ટીથી દૂર રહેશે.
ઉલ્લેખનીય છે કે દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું પહેલું નામ યુસુફ ખાન હતું. બાદમાં દિલીપ કુમારના નામે તેને પડદા પર ખ્યાતિ મળી. અભિનેતાએ એક પ્રોડ્યુસરના કહેવાથી તેમનું નામ બદલી નાખ્યું હતા. ત્યારબાદ લોકો તેને પડદા પર દિલીપકુમારના નામથી ઓળખવા લાગ્યા.