મુંબઈ આરે પર ધમાસાણ: આદિત્ય ઠાકરે અને ઉર્મિલા માતોડકરના સરકાર પર પ્રહાર, આરે કોલોનીની આસપાસ કલમ 144 લાગુ
ઉત્તરી મુંબઈના હરિયાળા વિસ્તાર આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનો પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. હવે આ વિરોધમાં રાજકારણીઓએ પણ ઝંપલાવ્યું છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી છે. આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું છે કે,” મુંબઇ મેટ્રો-3 ના નામે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, આ ઘણું શર્મનાક અને ખોટું થઇ રહ્યું છે. તો […]
ઉત્તરી મુંબઈના હરિયાળા વિસ્તાર આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનો પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. હવે આ વિરોધમાં રાજકારણીઓએ પણ ઝંપલાવ્યું છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી છે. આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું છે કે,” મુંબઇ મેટ્રો-3 ના નામે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, આ ઘણું શર્મનાક અને ખોટું થઇ રહ્યું છે. તો વધુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જો આવા અધિકારીઓનું ટ્રાન્સફર PoKમાં કરી દેવામાં આવે, તો વૃક્ષોની જગ્યાએ આતંકી છાવણીને ખતમ કરે. પર્યાવરણવિદો અને શિવસેનાના સૈનિકો દ્વારા વૃક્ષો કાપવાનો વિરોધ કરાયો હતો. જેમ આરેમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. મુંબઇ મેટ્રો-3 બધી વસ્તુ ખત્મ કરી રહી છે. જેમ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈ: ગોરેગાંવની આરે કોલોનીમાં વૃક્ષોના નિકંદન મામલે બબાલ, સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે કરી અટકાયત
આદિત્ય ઠાકરે સરકાર સામે નિશાન સાધ્યું અને ટ્વિટ કરતા કહ્યું કે, કોઇ આધાર જ નહીં રહેતો, કે કેન્દ્ર સરકારની હવામાન પરિવર્તન મંત્રાલયનું અસ્તિત્વ જ રહે, કે પછી પ્લાસ્ટિક પ્રદુષણ પર બોલે.” આદિત્ય ઠાકરેએ વૃક્ષોને લઇને આગળ આવતા કહ્યું કે, આ પ્રોજેકટને ગર્વની સાથે આગળ વધારવો જોઇએ. પરંતુ મેટ્રો-3નો પ્રોજેકટ રાત્રીના અંધકારમાં શર્મીદગીની સાથે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહ્યો છે. એક પ્રોજેકટ જે મુંબઇની હવાને નુકસાન કરી કરે છે. એક જંગલ ખત્મ કરે છે. દિપડા અને બિલાડીની પ્રજાતિને મોટી સંખ્યામાં અસર કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો સાથે સાથે અભિનેત્રી ઉર્મિલા માતોડકરે પણ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું કે, આરેના જંગલને કાપવામાં આવી રહ્યું છે તે સૌથી ખરાબ સમાચાર છે. તો ઉર્મિલા માતોડકરે વધુમાં કહ્યું કે, મુંબઇ હાઇકોર્ટ કહે છે કે, આરે જંગલ નથી કોર્ટના આદેશને અમલમાં મુકવા માટે ખૂબ જ તાકિદની જરૂરિયાત છે. આને માટે જવાબદાર લોકો માત્ર ટ્વિટ કરીને છુટી શકવાના નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો