7 વર્ષ બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી, સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી
આખરે દિલ્લી અને દેશની લાડલી નિર્ભયાને ન્યાય મળી ગયો છે. 7 વર્ષ બાદ નિર્ભયાના નરાધમોને તેના પાપની સજા મળી છે. દિલ્લીની તિહાડ જેલમાં 4 દોષિતોને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. સવારે 5.30 વાગ્યે તિહાડ જેલમાં ચારેય આરોપીને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. મોતથી બચવા માટે દોષિતોએ મોડી રાત સુધી અવનવા પેંતરા અજમાવ્યા હતા. Web Stories View […]
આખરે દિલ્લી અને દેશની લાડલી નિર્ભયાને ન્યાય મળી ગયો છે. 7 વર્ષ બાદ નિર્ભયાના નરાધમોને તેના પાપની સજા મળી છે. દિલ્લીની તિહાડ જેલમાં 4 દોષિતોને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. સવારે 5.30 વાગ્યે તિહાડ જેલમાં ચારેય આરોપીને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. મોતથી બચવા માટે દોષિતોએ મોડી રાત સુધી અવનવા પેંતરા અજમાવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાષ્ટ્રપતિથી લઈને સુપ્રીમ કોર્ટ અને આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધીના દાવ ખેલ્યા હતા. 3 વખત તો ડેથ વોરંટ ટળ્યું હતું. પરંતુ આ વખતે દોષિતોનું મોત નક્કી હતું અને કાયદાનો એક પણ દાવપેંચ કામ ન આવ્યો. તમામ મોરચે ફેઈલ થવું પડ્યું અને અંતે તેમના પાપની સજા મળી છે. ત્યારે સુરતમાં પણ લોકો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે થોડું મોડું થયું છે પણ આ ખુબ જ સરસ નિર્ણય લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: નિર્ભયા કેસ: તિહાડના ઈતિહાસમાં પ્રથમ વખત 4 દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવી