ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળાનો આક્ષેપ, ભાજપના આ ધારાસભ્યએ વિજય રૂપાણીને કરી ફરિયાદ
ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ત્રણ ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ પણ કરી છે. ત્રણેય ધારાસભ્યોનો આક્ષેપ છે કે, GNFCમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી. આ પણ વાંચોઃ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા […]
ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ત્રણ ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ પણ કરી છે. ત્રણેય ધારાસભ્યોનો આક્ષેપ છે કે, GNFCમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી.
આ પણ વાંચોઃ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત
એટલું જ નહિં હાલ GNFCનું મોર્કેટ કેપ 75 ટકા ઘટી ગયો હાવોના દાવો પણ આ ધારાસભ્યો કરી રહ્યા છે. એટલું જ નહિં તેમનો સૌથી મોટો આક્ષેપ છે કે, જોખમી TDI કેમિકલનો રહીયાડ ગામ પ્લાન્ટમાં ક્ષમતા કરતા વધુ સ્ટોરેજ કરવામાં આવે છે. હાલ 7700 મેટ્રિક ટનની કેપિસિટી સામે વધુ જથ્થો રાખવામાં આવ્યો છે. તેથી ભોપાલ ગેસકાંડ જેવી મોટી દુર્ઘટના પણ થઇ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો