અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ
અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા ગ્રામ્ય પોલીસ અને SC-ST સેલે ધરપકડ કરી છે. બીમલ ભરવાડ, દર્શન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા આરોપી જીગરને પણ પકડી પાડ્યો છે. આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત Web Stories […]
અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા ગ્રામ્ય પોલીસ અને SC-ST સેલે ધરપકડ કરી છે. બીમલ ભરવાડ, દર્શન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા આરોપી જીગરને પણ પકડી પાડ્યો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત
મોડાસાના સાયરામાં યુવતીના મોતને લઈને લોકોમાં ભારે રોષ છે. પોલીસની કામગીરીને લઈને મોટા સવાલો ઉભા થયા હતા. એફઆઈઆરમાં જણાવેલી હકિકત મુજબ યુવતીના પરિવારજનો દ્વારા પોલીસને અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરી હોવા છતાં પોલીસ યુવતી સલામત હોવાની વાતો કરતી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
3 તારીખે યુવતીના પરિવાજનોએ પોલીસને ફરિયાદ કરી તેના બે દિવસ સુધી પોલીસે યુવતી સલામત હોવાની અને તેણે પોતાના સમાજના કોઈ છોકરા સાથે લગ્ન કરી લીધા હોવાની વાત રટતી રહી. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો બે દિવસમાં પોલીસે યોગ્ય તપાસ કરી હોય તો કદાચ યુવતીનો જીવ બચી શક્યો હોત. પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે, પોલીસ તપાસ ખોટા રસ્તે ચાલી રહી હતી કે પોલીસ કઈ છૂપાવી રહી છે.