દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની સાથે PM મોદીએ કરી 21 મહત્વની વાત, જાણો વિગત
દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ કોરોના વાઇરસના ખતરાની ગંભીરતા જોતા 21 દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીનું કહેવું છે કે હવે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે અને તે માટે જનતા માટે વધુ 21 દિવસ લોકડાઉન જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પણ અપીલ કરી કે […]
દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ કોરોના વાઇરસના ખતરાની ગંભીરતા જોતા 21 દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીનું કહેવું છે કે હવે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે અને તે માટે જનતા માટે વધુ 21 દિવસ લોકડાઉન જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પણ અપીલ કરી કે તેઓ ઘરમાં જ રહે અને ઘરમાં રહીને કોરોનાની ચેઈન તોડવામાં મદદ કરે. જેથી કોરોના આગળ વધતો અટકાવી શકાય.
આ પણ વાંચો : કોરોના સામે જંગ : દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન રહેશે, પીએમ મોદીએ કરી જાહેરાત
PM મોદીના સંબોધનની મોટી વાતો
- જનતા કર્ફ્યુને લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે.
- જનતા કર્ફ્યુ માટે તમે બધા પ્રશંસાપાત્ર છો.
- સંકટના સમયે તમામ ભારતીય એક થઈએ.
- દુનિયાના સમર્થમાં સમર્થ દેશોને પણ કોરોનાએ લાચાર બનાવી દીધા છે.
- એકબીજાથી અંતર રાખવુ અને ઘરમાં જ રહેવું એ જ કોરોનાથી બચવાનો ઉપાય છે, બીજો કોઈ રસ્તો નથી.
- કોરોનાથી બચવા માટે, કોરોનાના સંક્રમણની સાંકળ તોડવી પડશે.
- અમુક લોકોને એવુ લાગે છે કે સોશિયલ ડિસ્ટેંસિગ દર્દીઓ માટે છે.
- સોશિયલ ડિસ્ટેંસિગ તમામ નાગરિક માટે છે, પ્રધાનમંત્રી માટે પણ છે.
- જો બેદરકારી જારી રહેશે તો ભારતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
- આજ રાતના 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
- 12 વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
- સંપૂર્ણ લૉકડાઉન એક પ્રકારનો કર્ફ્યુ જ છે.
- જો આ 21 દિવસને ના સંભાળ્યા તો આપણે 21 વર્ષ પાછળ જતા રહીશું.
- ઘરમાં રહો, ઘરમાં રહો અને ઘરમાં જ રહો.
- આ લૉકડાઉને તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણરેખા દોરી દીધી છે.
- ઘરની બહાર તમારું એક પગલું કોરોના જેવી મહામારીને તમારા ઘરે લાવી શકે છે.
- કોરોના મતલબ કોઈ રોડ પર ના નીકળે.
- તમારા પરિવારની રક્ષા માટે, તમારી રક્ષા માટે લોકડાઉનનું પાલન કરો.
- બિમારીના લક્ષણો દેખાય તો કોઈપણ જાતની દવા ડૉક્ટરની સલાહ વિના લેવાનું ટાળો.
- કોઈપણ પ્રકારના કોરોનાને લઈને અંધવિશ્વાસ અને અફવા ફેલાવાથી બચો.
- તમામ રાજ્યની સરકારોની પ્રથમ પ્રાથમિકતા ફક્ત સ્વાસ્થ્ય સેવાઓ જ હોવી જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]