નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર ફરી એક વખત લગાવી રોક…આવતીકાલ 6 કલાકે લગાવવાની હતી ફાંસી
નિર્ભયાના ગુનેગાર પવન કુમારને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝ્ટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પવન કુમારની ક્યુરેટિવ પિટીશનને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી ગુનેગાર અક્ષય અને પવન તરફથી કરવામાં આવેલી અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે. આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત…પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું Web Stories View […]
નિર્ભયાના ગુનેગાર પવન કુમારને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝ્ટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પવન કુમારની ક્યુરેટિવ પિટીશનને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી ગુનેગાર અક્ષય અને પવન તરફથી કરવામાં આવેલી અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત…પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું
આ વચ્ચે દોષિત પવન કુમારના વકીલ એપી સિંહ ફરી એક વખત પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગયા હતા. અને તેમને રજૂઆત કરી કે, ડેથ વોરંટ પર રોક લાગવી જોઈએ. કારણ કે, ગુનેગાર પવને રાષ્ટ્રપતિ સામે દયા અરજી રજૂ કરી છે. અને તેની અરજી હજુ પણ રાષ્ટ્રપતિ પાસે વિચારધિન છે. જેથી કોર્ટે ફાંસી પર રોક લગાવી દીધી છે. નિર્ભયાના ગુનેગારોને 3 માર્ચ એટલે આવતીકાલ સવારે ફાંસી થવાની હતી. જેના પર હાલ પુરતી રોક લગાવી દેવાઈ છે.
આ પહેલા કોર્ટને તિહાડ જેલ વિભાગે એક સૂચના આપી હતી કે, પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે અરજી મોકલી છે. ગુનેગારોને ફાંસી આપવા માટે પવન જલ્લાદે ડમી પ્રેક્ટિસ પણ કરી લીધી હતી. અને આવતીકાલ મંગળવારે સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવાની પૂરી તૈયારી કરી દેવાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો