રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1540 કેસ અને 14 દર્દીઓના થયા મોત
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,540 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 14 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 1 હજાર 949ને પાર પહોંચી છે તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,906 પર પહોંચ્યો છે, જ્યારે 1,283 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ […]
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,540 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 14 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 1 હજાર 949ને પાર પહોંચી છે તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,906 પર પહોંચ્યો છે, જ્યારે 1,283 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 83 હજાર 756 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો 14,287 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે હજુ પણ 96 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 349 પોઝિટિવ કેસ સાથે 10 દર્દીઓએ જીવ ગુમાવ્યો, જ્યારે સુરતમાં 2 દર્દીના મોત સાથે 277 પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરામાં એક દર્દીના મોત સાથે 169 કેસ નોંધાયા તો બોટાદમાં પણ એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું. રાજકોટમાં 127 પોઝિટિવ કેસ નોંધાયા.
આ પણ વાંચો: નીતિન પટેલનું વીક એન્ડમાં કરફ્યૂ અંગે મોટું નિવેદન, સોશિયલ મીડિયા પર ચાલતી અફવા ખોટી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો