150મી મહાત્મા ગાંધી જન્મ જયંતી પર રેલવે એન્જીનીયર એસોસિએશને પડતર માંગને લઈને કર્યા ધરણા
એક તરફ ઠેર ઠેર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સાબરમતી રેલવે સ્ટેશન પર રેલવે એન્જીનીયર એસોસિએશન દ્વારા પડતર માંગને લઈને ધરણા યોજવામાં આવ્યા છે. એક દિવસીય ધરણા પર ઉતરેલા કર્મીઓનો આક્ષેપ છે કે તેઓને અન્ય રાજ્યોના વિભાગની જેમ સરકારી લાભ નથી મળી રહ્યા. તેમજ બઢતી નથી મળતી. […]
એક તરફ ઠેર ઠેર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સાબરમતી રેલવે સ્ટેશન પર રેલવે એન્જીનીયર એસોસિએશન દ્વારા પડતર માંગને લઈને ધરણા યોજવામાં આવ્યા છે.
એક દિવસીય ધરણા પર ઉતરેલા કર્મીઓનો આક્ષેપ છે કે તેઓને અન્ય રાજ્યોના વિભાગની જેમ સરકારી લાભ નથી મળી રહ્યા. તેમજ બઢતી નથી મળતી. તેમની કેડર કરતા નીચી કેડરનું કામ તેઓની પાસેથી કરાવવામાં આવે છે. તેમજ 8 કલાકની નોકરી સામે તેઓ પાસે 24 કલાક કામ લેવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેની અગાઉ અધિકારીઓને પણ ધ્યાન દોરી રજુઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં કોઈ પણ નિવેડો ન આવતા આજે મહાત્મા ગાંધી જન્મ જયંતી પર રેલવેના એન્જીનીયર એસોસિએશન અને તેના સભ્યોને કર્મીઓએ સાબરમતી રેલવે સ્ટેશન પર એક દિવસીય પ્રતીકાત્મક શાંત ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું.
એટલું જ નહીં પણ ધરણા કરી રહેલા કર્મીઓને આશા છે કે તેમના પ્રયાસથી તેઓની માંગ સરકાર સુધી પહોંચશે અને તેમના પ્રશ્નો પર કામગીરી થશે. જો તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો ધરણા કરી રહેલા કર્મીઓએ ઉચ્ચ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]