VIDEO: રાજ્યની સરકારી હોસ્પિટલોના 150 જેટલા ડૉક્ટરને કોરોના, રાજકોટમાં 100થી વધુ ડોક્ટર્સ કોરોના
દિવસે દિવસે કોરોનાનું સંકટ વધતું જઈ રહ્યું છે. ત્યારે સૌ કોઈના મુખ પર એક જ સવાલ છે કે આખરે કોરોનાનો અંત ક્યારે આવશે? પરંતુ માઠા સમાચાર એ છે કે રાજ્યમાં તબીબો જ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યની સરકારી હોસ્પિટલોના 150થી વધુ ડૉક્ટરને કોરોના થઈ ગયો છે. જેઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં 100થી વધુ ડોક્ટર્સ […]
દિવસે દિવસે કોરોનાનું સંકટ વધતું જઈ રહ્યું છે. ત્યારે સૌ કોઈના મુખ પર એક જ સવાલ છે કે આખરે કોરોનાનો અંત ક્યારે આવશે? પરંતુ માઠા સમાચાર એ છે કે રાજ્યમાં તબીબો જ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યની સરકારી હોસ્પિટલોના 150થી વધુ ડૉક્ટરને કોરોના થઈ ગયો છે. જેઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં 100થી વધુ ડોક્ટર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈ IMAએ રાજકોટના તમામ તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદથી 70 ડોક્ટર્સને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મૂકાયા છે. તો અમદાવાદમાં 64થી વધુ તબીબો સંક્રમિત થયા છે. જેમાં SVPના 26, એલજીના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડૉક્ટર કોરોનાગ્રસ્ત થયા છે. મોટા શહેરોમાં તબીબો જ કોરોનાની ઝપેટમાં આવતા દર્દીઓની સારવાર મુશ્કેલ બની રહી છે. ત્યારે વધુ તબીબોને કોરોના ન થાય તે માટે સાવચેતી જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો