15 ઓગસ્ટે જમ્મૂ-કાશ્મીરની 50 હજાર ગલીઓમાં થશે કઈક એવુ જે 70 વર્ષમાં ક્યારેય નથી થયુ, ભાજપની સૌથી મોટી યોજના,વાંચો આ ખબર

સ્વતંત્રતા દિવસને લઈને ભાજપના પ્રદેશ એકમે દરેક પંચાયતમાં તિરંગો ફરકાવવા માટે સિલ્ક અને ખાદીના 50 હજાર ખાસ તિરંગાનો ઓર્ડર દિલ્હીમાં આપ્યો છે અને તેને કાર્યકર્તાઓ અને પંચાયતોને આપવામાં આવશે. નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં 15 ઓગસ્ટના દિવસે 4 હજારથી વધારે પંચાયતોમાં તિરંગો ફરકાવવામાં આવશે. તેની સાથે જ તમામ ગામોમાં રંગારંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ […]

15 ઓગસ્ટે જમ્મૂ-કાશ્મીરની 50 હજાર ગલીઓમાં થશે કઈક એવુ જે 70 વર્ષમાં ક્યારેય નથી થયુ, ભાજપની સૌથી મોટી યોજના,વાંચો આ ખબર
Follow Us:
| Updated on: Aug 11, 2019 | 9:54 AM

સ્વતંત્રતા દિવસને લઈને ભાજપના પ્રદેશ એકમે દરેક પંચાયતમાં તિરંગો ફરકાવવા માટે સિલ્ક અને ખાદીના 50 હજાર ખાસ તિરંગાનો ઓર્ડર દિલ્હીમાં આપ્યો છે અને તેને કાર્યકર્તાઓ અને પંચાયતોને આપવામાં આવશે. નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં 15 ઓગસ્ટના દિવસે 4 હજારથી વધારે પંચાયતોમાં તિરંગો ફરકાવવામાં આવશે. તેની સાથે જ તમામ ગામોમાં રંગારંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.

સ્વતંત્રતા દિવસ પર આ મોટા પ્રમાણમાં તિરંગો ફરકાવવાની યોજનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. જેનું મોનીટરીંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને તેમની ટીમ કરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તિરંગા જમ્મૂ, લેહ અને શ્રીનગરમાં વહેંચવામાં આવશે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈનાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સિલ્કના 25 હજાર અને ખાદીના 25 હજાર તિંરગાનો દિલ્હીમાં ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે. તેને જમ્મૂ, શ્રીનગર અને લેહમાં વહેંચવામાં આવશે. તમામ સરપંચો અને પંચોને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રૈનાએ કહ્યું કે જશ્ન-એ-આઝાદી માટે ખુબ જોશ છે. એવુ લાગી રહ્યું છે કે પ્રથમ વખત ગુલામીમાંથી બહાર નીકળ્યા છે. ભાજપના સુત્રોનું કહેવુ છે કે આ અવસર પર મોટરસાઈકલની રેલી નિકાળવામાં આવશે પણ તેની પર તંત્રએ કોઈ ટિપ્પણી કરી નથી. હાલમાં પોલિસની નજર બકરી ઈદ પર છે. તેમનું માનવુ છે કે બકરી ઈદ શાંતિપૂર્ણ નિકળી જશે તો મોટરસાઈકલ રેલીની પરવાનગી આપવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે જો જમ્મૂ-કાશ્મીર, લેહ, અને શ્રીનગરની કુલ વસ્તી જોવામાં આવે તો વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 1,37,10,870 છે. તેથી 274 લોકો વચ્ચે એક તિરંગો ફરકાવવામાં આવશે.

[yop_poll id=”1″]

આતંકી હુમલાનો ખતરો!

ત્યારે ગુપ્ત એજન્સીઓને માહિતી મળી છે કે ભારતના સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર સીમા પર આતંકવાદી કોઈ મોટી હોનારત સર્જવાના ફિરાકમાં છે. ત્યારે NSA અજીત ડોભાલે પ્રદેશના DGP દિલબાગ સિંહ અને મુખ્ય સચિવ બી.વી. આર. સુબ્રહ્મણ્યમ્ સાથે ચર્ચા કરી છે અને સ્થિતી પર કડક નજર રાખવા માટેના આદેશ આપ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">