“જ્યાં બે મૂર્ખાઓ મળી એક પાવરફુલ માણસને હરાવી દે છે”- અટલ બિહારી વાજપેયીના 10 Quotes જે તમને કરી દેશે વિચારતા
ભૂતપૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને ભાજપના ભીષ્મ અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતી છે. તેઓ આજે આપણી વચ્ચે નથી. તેમનું ગત 16 ઑગસ્ટે નિધન થઈ ગયુ, પરંતુ તેમનું આખું જીવન કોઈ પ્રેરક કહાણીથી ઓછું નહોતું. વાજપેયીએ સંઘથી લઈ સરકાર સુધીની પોતાની કારકિર્દી દરમિયાન અનેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું અને જ્યાં પણ તેમણે જે પણ કાર્ય […]
ભૂતપૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને ભાજપના ભીષ્મ અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતી છે. તેઓ આજે આપણી વચ્ચે નથી. તેમનું ગત 16 ઑગસ્ટે નિધન થઈ ગયુ, પરંતુ તેમનું આખું જીવન કોઈ પ્રેરક કહાણીથી ઓછું નહોતું.
વાજપેયીએ સંઘથી લઈ સરકાર સુધીની પોતાની કારકિર્દી દરમિયાન અનેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું અને જ્યાં પણ તેમણે જે પણ કાર્ય કર્યું, પોતાના પ્રેરક પદચિહ્નો મૂકતા ગયાં કે આવનાર અનેક પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે.
આજે જ્યારે સમગ્ર દેશ તેમની જન્મ જયંતી ઉજવી રહ્યું છે, ત્યારે વાજપેયીએ પોતાના લાંબા અનુભવ પરથી જે કટાક્ષ ભર્યા વાક્યાંશો કહ્યા હતાં, તેમાંના કેટલાક એવા છે કે જે ક્યારેય ભૂલી શકાશે નહીં.
હકીકતમાં કવિ હૃદય અટલ બિહારી વાજપેયી એક મહાન વ્યક્તિ હતાં અને તેઓ કોઈ પણ વાત ખૂબ ગંભીરતાથી બોલતા હતાં. તેમણે વિવિધ મંચો પર અનેક એવી વાતો કહી હતી કે જે સૌને વિચારવા પર મજબૂર કરી દે છે.
(1) ‘આપ મિત્રો બદલી શકો છો, પાડોશી નહીં’
એટલે જ અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે અનેકવિદ્ પ્રયત્નો કર્યા હતાં, કારણ કે તેઓ સારી રીતે સમજતા હતાં કે પાકિસ્તાન પાડોશી દેશ છે અને પાડોશીને બદલી તો શકાતો નથી, પણ તેને સુધારવાના પ્રયત્નો કરી શકાય છે.
(2) ‘આપણું રાજકારણ એટલું દુઃખદ છે, જો હું સ્ટ્રૉંગ ન હોત, તો સુસાઇડ કરી ચુક્યો હોત.’
વાજપેયીએ આ વાક્ય દ્વારા ભારતીય રાજકારણના કટુ સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
(3) ‘લોકશાહી એક એવી જગ્યા છે કે જ્યાં બે મૂર્ખાઓ મળી એક પાવરફુલ માણસને હરાવી દે છે’
વાજપેયીએ ભારતીય લોકશાહીમાં થતા તડજોડના રાજકારણ પર કટાક્ષ કર્યો હતો કે જેમાં સંખ્યાબળના આધારે એક અયોગ્ય વ્યક્તિ પણ સરળતાથી કોઈ પણ પદે પહોંચી શકે છે.
(4) ‘હું હંમેશાથી જ વાયદાઓ લઈને ન આવ્યો, પણ ઇરાદા લઈને આવ્યો છું.’
આ વાક્ય વાજપેયીએ વડાપ્રધાન પદે રહીને સમ્પૂર્ણપણે પુરવાર પણ કર્યો હતો. તેમણે પોતાની 24 પક્ષોના ગઠબંધનની સરકાર હોવા છતાં મજબૂત ઇરાદાઓ સાથે કામ કરી બતાવ્યું.
(5) ‘સખત મહેનત ક્યારેય થાક નથી લાવતી, તે સંતોષ લાવે છે.’
આ વાક્ય વાજપેયીએ પોતાના જીવનમાં આબેહૂબ ઉતાર્યો હતો.
(6) ‘આખી દુનિયા આપણી પાસે આવી રહી છે, પણ આપણે એટલા ગાંડા છીએ કે બીજા દેશોમાં જઈ રહ્યા છીએ.’
વાજપેયીએ ભારતના જ્ઞાન ભંડારના સંદર્ભમાં આ વાત કહી હતી.
(7) ‘મારી પાસે નથી દાદાની દોલત કે નથી બાપની, મારી પાસે માત્ર માતાના આશીર્વાદ છે.’
આ વાક્ય વાજપેયીની આત્મીય સમ્પન્નતા પુરવાર કરે છે.
(8) ‘સત્ય સૌથી મોટું હથિયાર છે અને દરેક વ્યક્તિ જાણે છે કે સરકારી સ્થળોએ હથિયાર લઈને ન જઈ શકાય.’
વાજપેયીએ આ વાક્ય દ્વારા સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર પર આકરો કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ ચોપાટી પરની ક્રિસમસની આ ઉજવણી તમને ખડખડાટ હસાવશે!
(9) ‘જો આપનો દેશ પાવરફુલ છે, તો કોઈની પણ આપણા દેશ પર આંખ ઉઠાવીને જોવાની હિંમત નહીં થાય.’
વાજપેયીએ આ વાક્ય દ્વારા સ્વયંને એટલે કે પોતાના દેશને મજબૂત બનાવવાની શીખ આપી હતી.
(10) ‘જો ભારત બિનસાંપ્રદાયિક ન હોત, તો ભારત ભારત ન હોત.’
સાંપ્રદાયિક રાજકારણ કરનારાઓને વાજપેયીએ આ વાક્ય દ્વારા તમાચો જડ્યો હતો.
[yop_poll id=329]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]