Electric Highway: શું છે ઈલેક્ટ્રિક હાઈવે જે દિલ્લી અને મુંબઈની વચ્ચે બનશે, જાણો તેના ફાયદાઓ

What is national highway: માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું (Union Minister Nitin Gadkari) કહેવું છે કે, 'સરકાર દેશની રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી કરી રહી છે. જાણો ઇલેક્ટ્રિક હાઇવે શું છે, તે કેટલો અલગ છે અને તેનાથી શું ફાયદો થશે...

Electric Highway: શું છે ઈલેક્ટ્રિક હાઈવે જે દિલ્લી અને મુંબઈની વચ્ચે બનશે, જાણો તેના ફાયદાઓ
e roads between delhi to mumbai announced by union minister nitin gadkari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:04 PM

દેશમાં ઈલેક્ટ્રિક હાઈવે (Electric Highway) બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે (Union Minister Nitin Gadkari) સરકાર દેશની રાજધાની દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારીમાં છે. દેશની ટ્રાફિક વ્યવસ્થાને ઝડપી અને વ્યવસ્થિત કરવા માટે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું કામ કરવામાં આવશે. એટલે કે ભારત માટે આ એક નવી સિસ્ટમ હશે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં પહેલેથી જ ઇલેક્ટ્રિક હાઇવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જર્મની અને સ્વીડન તેના ઉદાહરણો છે. સાથે જ તેને બ્રિટનમાં પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઇંધણ બચાવવા માટે વિશ્વભરમાં આવા હાઇવેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

જાણો ઈલેક્ટ્રિક હાઈવે શું છે, કેટલો અલગ છે, તેનો શું ફાયદો થશે અને દુનિયાના કયા-કયા દેશોમાં આવા હાઈવે બનાવવામાં આવ્યા છે…

ઇલેક્ટ્રિક હાઇવે શું છે અને તે કેટલા અલગ છે?

આ એવા હાઇવે છે કે જેના પર ચાલતા વાહનો પેટ્રોલ કે ડીઝલને બદલે વીજળીનો ઉપયોગ કરે છે. હાઇવે ઉપર તાર લગાવવામાં આવે છે અને તેના દ્વારા વાહનો સુધી વીજળી પહોંચાડવામાં આવે છે. આ તેમના માટે બળતણ તરીકે કામ કરે છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલની સીધી બચત થશે. નિષ્ણાંતોનું કહેવું છે કે-પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને પ્રદૂષણને જોતા એમ કહી શકાય કે આવનારો સમય ઈલેક્ટ્રિક વ્હીકલ અને ઈલેક્ટ્રિક હાઈવેનો છે. સમગ્ર વિશ્વમાં તેમનો પ્રચાર પણ થઈ રહ્યો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ઈલેક્ટ્રિક હાઈવે સામાન્ય હાઈવે જેવો જ દેખાય છે, પરંતુ તેના ઉપરથી વાયરો નીકળતા હોય છે, એવી રીતે કે જેમ ટ્રેનો ઉપરથી તાર નીકળતા હોય છે. ખાસ વાત એ છે કે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવા માટે હાઈવેમાં કોઈ મોટા ફેરફાર કરવા પડતા નથી, માત્ર વાયર નાખવાના હોય છે અને જરૂરી સેટઅપ કરવાનું હોય છે, જો કે તેમાં લાંબો સમય અને મોટી રકમ લાગે છે.

હવે તેના ફાયદાઓ…

સાયન્સ ડાયરેક્ટના રિપોર્ટ અનુસાર આવા હાઈવેને ‘ઈ-રોડ’ (E-roads) પણ કહેવામાં આવે છે. તેમની રચનાથી દેશને અનેક રીતે ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે, ભારે ટ્રકમાંથી કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે. પ્રદુષણ ઘટશે. જ્યારે દેશને ટ્રાન્સપોર્ટની નવી સિસ્ટમ મળશે ત્યારે ટ્રાફિકનું દબાણ ઘટશે.

વિશ્વમાં ક્યાં બનાવવામાં આવ્યો છે ઈલેક્ટ્રિક હાઈવે

હાલમાં, જર્મની અને સ્વીડન સહિત ઘણા દેશોમાં ઇલેક્ટ્રિક હાઇવેનો ઉપયોગ કરવામાં આવે છે. જર્મનીનો હાઇવે લગભગ 10 કિલોમીટર લાંબો છે. ઓવરહેડ કેબલ દ્વારા આ હાઈવે પર લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રકો દોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મનીના 10 કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક હાઇવેને તૈયાર કરવામાં લગભગ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તે ભારતમાં પણ સરળતાથી તૈયાર થઈ શકે છે. કારણ કે તેને બનાવવા માટે સરકારને કોઈ અલગ વાહનો અથવા રસ્તામાં ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત તે દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદ કરશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">