આ ટેસ્ટથી ખબર પડશે કે તમે કેટલા વર્ષ જીવશો! 10 વર્ષની રીસર્ચ પરથી થયો આ ખુલાસો

બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચ અનુસાર એક પગ પર ઊભા રહેવાનું સંતુલન કહી શકે છે કે તે વ્યક્તિ કેટલો સમય જીવી શકે છે. સંશોધન મુજબ જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 સેકન્ડથી વધુ એક પગ પર ઊભા રહી શકતા નથી તો આગામી 10 વર્ષમાં તેમના મૃત્યુની શક્યતા બમણી થઈ જાય છે.

આ ટેસ્ટથી ખબર પડશે કે તમે કેટલા વર્ષ જીવશો! 10 વર્ષની રીસર્ચ પરથી થયો આ ખુલાસો
Balance testImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:38 PM

દુનિયાના મોટાભાગના લોકો એવુ ઈચ્છતા હોય છે કે તેઓ લાંબુ અને સારુ જીવન જીવે અને તેના માટે તેઓ ઘણી બધી સાવચેતી પણ રાખતા હોય છે. સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે આરોગ્ય નિષ્ણાતોથી લઈને વૃદ્ધો સુધી વિવિધ પ્રકારની સલાહ આપવામાં આવે છે. આહાર, લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ અને શરીરને લગતી અનેક ટિપ્સ (Tips) તમે રોજીંદા જીવનમાં સાંભળતા જ હશો. સક્રિય રહેવાથી લઈને સારી ઊંઘ મેળવવા માટે પણ સલાહ આપવામાં આવે છે. લાંબા આયુષ્ય માટે સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ છે અને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવું મહત્વપૂર્ણ છે. ફિટ રહેવા માટે જીવનમાં સંતુલન જરૂરી છે. શારીરિક સંતુલનની સાથે સાથે માનસિક સંતુલન પણ એટલું જ જરૂરી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે સંતુલનની કસોટીથી તમે તમારા જીવનના વર્ષોનો અંદાજ લગાવી શકો છો. ચાલો જાણીએ કે શું છે આ સંતુલન કસોટી (Balance test).

બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચ અનુસાર એક પગ પર ઊભા રહેવાનું સંતુલન કહી શકે છે કે તે વ્યક્તિ કેટલો સમય જીવી શકે છે. સંશોધન મુજબ જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 સેકન્ડથી વધુ એક પગ પર ઊભા રહી શકતા નથી તો આગામી 10 વર્ષમાં તેમના મૃત્યુની શક્યતા બમણી થઈ જાય છે.

10 વર્ષ સુધી થયેલી રિસર્ચનું છે આ પરિણામ

બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ આ માટે 10 વર્ષ સુધી સંશોધન કર્યુ હતુ. આ દરમિયાન 10 વર્ષ સુધી લોકોના સંતુલન ટેસ્ટ એટલે કે બેલેન્સ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. સંશોધકો એ પણ સમજવા માંગતા હતા કે શું આ બેલેન્સ ટેસ્ટને લોકોની નિયમિત આરોગ્ય તપાસમાં સામેલ કરવાની જરૂર છે. આ સંશોધન અભ્યાસમાં 1,700 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2009થી 2022 દરમિયાન તેમનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

1. 51થી 55 વર્ષની વયના 5 ટકા લોકો આ ટેસ્ટ પાસ કરી શક્યા નથી.

2. 56 થી 60 વર્ષની વયના 8 ટકા લોકો આ ટેસ્ટમાં નાપાસ થયા.

3. 61 થી 65 વર્ષની વયના 18 ટકા લોકો આ ટેસ્ટ પાસ કરી શક્યા નથી.

4. 66 થી 70 વર્ષના 37 ટકા લોકો નાપાસ થયા હતા.

5. 71 થી 75 વર્ષની વયના 54 ટકા લોકો આ ટેસ્ટ પાસ કરી શક્યા નથી.

આ રીતે કરો બેલેન્સ ટેસ્ટ

1. 10 સેકન્ડ માટે એક પગ પર ઉભા રહો.

2. જમણા કે ડાબા પગનો ઉપયોગ કરી શકાય છે.

3. જે પગને તમે ઊંચો કર્યો છે તેને સ્થાયી પગની પાછળ મૂકો.

4. બંને હાથને બાજુ પર રાખો.

5. આંખના સ્તરથી 2 મીટરના અંતરે જુઓ.

આ લોકોની મોતની સંભાવના વધુ

10 વર્ષના લાંબા સમય સુધી હાથ ધરવામાં આવેલા આ સંશોધન અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકો સંતુલન પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા તેઓનું વહેલું મૃત્યુ થવાની શક્યતા વધુ હતી. મૃત્યુ પામેલા લોકોના લિંગ, ઉંમર અને તબીબી ઈતિહાસને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">