કોઈ ચા તો કોઈ વેચતુ હતું અખબાર અને પછી બન્યા PM, CM અને મંત્રી! જુઓ એવા નેતાઓનું લિસ્ટ

ભારતના કેટલાક અન્ય રાજકારણીઓની પણ છે, જેઓ પહેલા પોતાનું ગુજરાન ચલાવવા માટે નાના-નાના કામ કરતા હતા, પરંતુ એક દિવસ તેઓ રાજ્ય અથવા દેશના દિગ્ગજ નેતાઓમાંના એક બની ગયા.

કોઈ ચા તો કોઈ વેચતુ હતું અખબાર અને પછી બન્યા PM, CM અને મંત્રી! જુઓ એવા નેતાઓનું લિસ્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 6:44 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવો બાદ રાજ્યને વધુ એક નવા મુખ્યપ્રધાન મળ્યા છે. વાસ્તવમાં એકનાથ શિંદે (Eknath Shinde) રાજકીય જંગમાં જીત નોંધાવતા જોવા મળી રહ્યા છે. એકનાથ શિંદેની જીતની સાથે તેમની રાજકીય કારકિર્દી અને તેમના સંઘર્ષની પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે ઓટો ડ્રાઈવરથી લઈને સીએમની ખુરશી સુધીની તેમની સફર ખૂબ જ રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે પહેલા શિંદે ઓટો-રિક્ષા ચલાવતા હતા. શિવસેના સાથે તેમનું જોડાણ 1980ના દાયકાનું છે. શિંદેએ તેમના બાળકો ગુમાવ્યા બાદ રાજકારણ છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમના માર્ગદર્શક આનંદ દિઘે તેમને રાજકીય જીવનમાં પાછા લાવ્યા હતા. આવી સ્થિતિમાં શિંદેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

શિંદેની વાર્તા જણાવે છે કે કેવી રીતે શિખર સુધી પહોંચવામાં આવે છે. આવી જ કહાની ભારતના કેટલાક અન્ય રાજકારણીઓની પણ છે, જેઓ પહેલા પોતાનું ગુજરાન ચલાવવા માટે નાના-નાના કામ કરતા હતા, પરંતુ એક દિવસ તેઓ રાજ્ય અથવા દેશના દિગ્ગજ નેતાઓમાંના એક બની ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ચા વાળાથી પીએમની ખુરશી સુધીની સફર કરી તેના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા નેતાઓ વિશે જણાવીએ છીએ, જેમણે એક સમયે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો અને પછીથી પીએમ, સીએમ અથવા મંત્રીની ખુરશી સુધી પહોંચ્યા.

નરેન્દ્ર મોદી (Narendra Modi)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશના સર્વોચ્ચ પદોમાંથી એક સુધી પહોંચવા પાછળના સંઘર્ષની પણ કહાની છે. તેમના પિતા દામોદરદાસની વડનગર રેલ્વે સ્ટેશનની સામે ચાની નાની દુકાન હતી. 6 વર્ષની ઉંમરથી નરેન્દ્ર મોદી તેમના પિતાને મદદ કરતા હતા અને ટ્રેનોમાં ચા વેચતા હતા. મોદી કહે છે કે મેં ચા વેચી છે, મને ગર્વ છે, પરંતુ દેશ વેચવાનું કામ કર્યું નથી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

એકનાથ શિંદે (Eknath Shinde)

શિંદેએ તેમની રાજકીય ઈનિંગ્સ શિવસેનામાં કાર્યકર તરીકે શરૂ કરી હતી. આ પછી તેઓ તેમની સંગઠનાત્મક કુશળતા અને જનતાના સમર્થનના બળ પર શિવસેનાના ટોચના નેતાઓમાંના એક બન્યા. તે એક સમયે મુંબઈને અડીને આવેલા થાણે શહેરમાં ઓટો ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. રાજકારણમાં પ્રવેશ્યા પછી તેમણે ખૂબ જ ઓછા સમયમાં થાણે-પાલઘર ક્ષેત્રમાં શિવસેનાના અગ્રણી નેતા તરીકે પોતાની ઓળખ બનાવી. તેઓ આક્રમક રીતે જાહેર મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા છે.

કેશવ પ્રસાદ મોર્યા (Keshav Prasad Maurya)

કેશવ પ્રસાદ મોર્યા ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણીતું નામ છે. કેશવ પ્રસાદ મૌર્યનો જન્મ અલ્હાબાદના કૌશામ્બીમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે કેશવ પ્રસાદ મોર્યાનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં થઈ પસાર થયું અને તેમને ચા, અખબાર અને શાકભાજી વેચીને જીવવું પડ્યું હતું. આ પછી વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસમાં સક્રિય થયા પછી તેમને 2002માં પ્રથમ વખત ચૂંટણી લડવાની તક મળી.

છગન ભુજબળ (Chhagan Bhujbal)

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબળ ખૂબ જ પ્રખ્યાત છે. બીબીસીના અહેવાલ મુજબ તેઓ મુંબઈના ભાયખલા બજારમાં શાકભાજી વેચતા હતા અને બાળાસાહેબ ઠાકરેના ભાષણોથી ખૂબ પ્રભાવિત હતા. તેની માતા બજારમાં એક નાની દુકાનમાં ફળો વેચતી હતી. તેણે પોતાનો પારિવારિક વ્યવસાય છોડીને રાજકારણમાં જવાનું નક્કી કર્યું અને સફળ પણ થયા. 1985માં તેઓ મેયર તરીકે ચૂંટાયા હતા અને બાદમાં સતત વિકાસ કરતા રહ્યા, તેમની ગણના મહારાષ્ટ્રના મજબૂત નેતાઓમાં થતી હતી.

નંદ કુમાર નંદી (Nand Kumar Nandi)

નંદ કુમાર નંદી ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. નંદ કુમાર નંદી માટે કહેવાય છે કે એક સમયે તેઓ બહુ નાનું કામ કરતા હતા, જેમાં સમોસા ચાટ વેચવાનું, પોલિશ કરવું વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ, તેમણે પોતાના દમ પર એક વિશાળ બિઝનેસ ઉભો કર્યો અને બે વખત રાજકારણમાં મંત્રી રહી ચુક્યા છે.

ગણેશ જોષી (Ganesh Joshi)

ઉત્તરાખંડમાં મંત્રી ગણેશ જોશી પણ એક સમયે હરિદ્વારમાં હર કી પૌરીમાં ફુગ્ગા વેચતા હતા. તેમણે પોતે પણ એક વખત આ અંગે માહિતી આપી હતી. આ સિવાય મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહ પણ એક સમયે બટાટા અને ડુંગળી વેચતા હતા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">