PCI Chief Justice Ranjana Desai: કોણ છે જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગનું નેતૃત્વ કરનારા જસ્ટિસ રંજના દેસાઈ, જેઓ પ્રેસ કાઉન્સિલના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા

Justice Ranjana Prakash Desai: નવેમ્બર 2021માં જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ (નિવૃત્ત)નો કાર્યકાળ પૂરો થયો ત્યારથી પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના પ્રમુખનું પદ ખાલી હતું. હવે જસ્ટિસ રંજના દેસાઈ આ પદ સંભાળશે.

PCI Chief Justice Ranjana Desai: કોણ છે જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગનું નેતૃત્વ કરનારા જસ્ટિસ રંજના દેસાઈ, જેઓ પ્રેસ કાઉન્સિલના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
Justice Ranjana Desai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:24 AM

Chairperson of the Press Council of India: સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ રંજના દેસાઈને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના (Press Council of India) પ્રથમ મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ (Ranjana Prakash Desai) છે. શુક્રવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તાજેતરમાં, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu), લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને પ્રેસ કાઉન્સિલના સભ્ય પ્રકાશ દુબેની બનેલી સમિતિએ પ્રેસ કાઉન્સિલના પ્રમુખ પદ માટે 72 વર્ષીય ન્યાયમૂર્તિ દેસાઈના નામને મંજૂરી આપી હતી. જણાવી દઈએ કે આ પોસ્ટ નવેમ્બર 2021થી ખાલી પડી હતી. પ્રેસ કાઉન્સિલમાં અન્ય સભ્યોની જગ્યા પણ ખાલી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં અન્ય સભ્યોની પણ નિમણૂક કરવામાં આવશે.

નવેમ્બર 2021માં જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ (નિવૃત્ત)નો કાર્યકાળ પૂરો થયો ત્યારથી પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના પ્રમુખનું પદ ખાલી હતું. હવે જસ્ટિસ રંજના દેસાઈ આ પદ સંભાળશે. જસ્ટિસ દેસાઈ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.

કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ?

જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યું અને પછી 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

1986માં રંજના પ્રકાશ દેસાઈની નિવારક અટકાયતના કેસ માટે વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1 નવેમ્બર 1995ના રોજ તેની નિમણૂક સરકારી વકીલ બોમ્બે હાઈકોર્ટ તરીકે કરવામાં આવી હતી. 15 એપ્રિલ 1996ના રોજ તેને બોમ્બે હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જ્યારે 13 સપ્ટેમ્બર 2011ના રોજ તેને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે 29 ઓક્ટોબર 2014 સુધી આ પદ પર રહ્યા હતા. જસ્ટિસ રંજના દેસાઈ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો માટે ચર્ચામાં છે.

જસ્ટિસ રંજના દેસાઈએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતવિસ્તારોની પુનઃનિર્માણ નક્કી કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલા સીમાંકન આયોગનું નેતૃત્વ કર્યું હતું. તાજેતરમાં, ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે જાહેર કરેલી મુસદ્દા સમિતિમાં રંજના પ્રકાશ દેસાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">