PCI Chief Justice Ranjana Desai: કોણ છે જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગનું નેતૃત્વ કરનારા જસ્ટિસ રંજના દેસાઈ, જેઓ પ્રેસ કાઉન્સિલના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
Justice Ranjana Prakash Desai: નવેમ્બર 2021માં જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ (નિવૃત્ત)નો કાર્યકાળ પૂરો થયો ત્યારથી પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના પ્રમુખનું પદ ખાલી હતું. હવે જસ્ટિસ રંજના દેસાઈ આ પદ સંભાળશે.
Chairperson of the Press Council of India: સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ રંજના દેસાઈને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના (Press Council of India) પ્રથમ મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ (Ranjana Prakash Desai) છે. શુક્રવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તાજેતરમાં, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu), લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને પ્રેસ કાઉન્સિલના સભ્ય પ્રકાશ દુબેની બનેલી સમિતિએ પ્રેસ કાઉન્સિલના પ્રમુખ પદ માટે 72 વર્ષીય ન્યાયમૂર્તિ દેસાઈના નામને મંજૂરી આપી હતી. જણાવી દઈએ કે આ પોસ્ટ નવેમ્બર 2021થી ખાલી પડી હતી. પ્રેસ કાઉન્સિલમાં અન્ય સભ્યોની જગ્યા પણ ખાલી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં અન્ય સભ્યોની પણ નિમણૂક કરવામાં આવશે.
નવેમ્બર 2021માં જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ (નિવૃત્ત)નો કાર્યકાળ પૂરો થયો ત્યારથી પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના પ્રમુખનું પદ ખાલી હતું. હવે જસ્ટિસ રંજના દેસાઈ આ પદ સંભાળશે. જસ્ટિસ દેસાઈ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ?
જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યું અને પછી 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી.
1986માં રંજના પ્રકાશ દેસાઈની નિવારક અટકાયતના કેસ માટે વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1 નવેમ્બર 1995ના રોજ તેની નિમણૂક સરકારી વકીલ બોમ્બે હાઈકોર્ટ તરીકે કરવામાં આવી હતી. 15 એપ્રિલ 1996ના રોજ તેને બોમ્બે હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જ્યારે 13 સપ્ટેમ્બર 2011ના રોજ તેને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે 29 ઓક્ટોબર 2014 સુધી આ પદ પર રહ્યા હતા. જસ્ટિસ રંજના દેસાઈ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો માટે ચર્ચામાં છે.
જસ્ટિસ રંજના દેસાઈએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતવિસ્તારોની પુનઃનિર્માણ નક્કી કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલા સીમાંકન આયોગનું નેતૃત્વ કર્યું હતું. તાજેતરમાં, ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે જાહેર કરેલી મુસદ્દા સમિતિમાં રંજના પ્રકાશ દેસાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.