T-20 લીગઃ આજે SRH vs CSK વચ્ચે મુકાબલો, ડ્વેન બ્રાવો અને અંબાતી રાયડુ ફીટ થતા ચેન્નાઇને હાશકારો, હૈદરાબાદને બીગ હીટરની ખોટ
ટી-20 લીગની 14મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. શુક્રવારે રમાનારી આ મેચમાં અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો પરત ફરી રહ્યા છે. તેમના આવવાથી ટીમ સીએસકેને મજબુત મદદ પ્રાપ્ત થશે. Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે આજનું રાશિફળ તારીખ : 23-04-2024 […]
ટી-20 લીગની 14મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. શુક્રવારે રમાનારી આ મેચમાં અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો પરત ફરી રહ્યા છે. તેમના આવવાથી ટીમ સીએસકેને મજબુત મદદ પ્રાપ્ત થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બેટ્સેનોની નિષ્ફળતાને લઇને પાછળની મેચમાં અપેક્ષિત પરીણામ નહી મેળવી શકનાર ચેન્નાઇ સુપર કિંગ્સ ને માટે હવે રાહતના સમાચાર છે. અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો પરત ફરી રહ્યા છે. બંને ફીટ થવાને લઇને હવે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે શુક્રવારે રમાનારી મેચમાં સીએસકે વધુ મજબુતી સાથે મેદાનમાં નજરે ચઢશે. ચૈન્નાઇ ટી-20 લીગની ઉદ્ઘાઘટન મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત મેળવવા માટે ના હિકો રહેલા રાયડુ માંસપેશીયોના ખેંચાઇ જવાને લઇને બે મેચ થી દુર હતો. જ્યારે બ્રાવો પણ કૈરેબિયાઇ પ્રિમીયર લીગ દરમ્યાન ઇજા પામ્યો હતો. જે આ લીગની એક પણ મેચમાં રમી શક્યો નહોતો.
ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કેએસ વિશ્વનાથને આ બાબતે કહ્યુ હતુ કે રાયડુ અને બ્રાવો બંને મેચ રમવા માટે તૈયાર છે. ચૈન્નાઇ અને હૈદરાબાદ બંનેને એકદમ સંતુલન ધરાવતી ટીમ તરીકે પહેલે થી જ જોવામાં આવે છે. જોકે આ વખતે બંને ટીમોને પ્રથમ ત્રણ ત્રણ મેચોમાંથી એક એક જ મેચમાં સફળતા મળી છે. આમ બંને બે-બે મેચ હારી ચુક્યા છે. જોકે તે માટે તેમનો મધ્યમક્રમ થોડો જવાબદાર માનવામાં આવે છે. રાયડુનુ ફીટ હોવાના સમાચાર મતલબ હવે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મુરલ વિજયના સ્થાને તે રમી શકે છે. જોકે બ્રાવોના મામલામાં હજુ એમ કહી શકાય એમ નથી. કારણ કે તેને એકને સમાવવા માટે કેપ્ટન ધોનીએ આખી બેટીંગ લાઇનના ક્રમમાં ફેરફાર કરવો પડે એમ છે.
સીએસકેની ચિંતા
કેદાર જાદવના ખરાબ ફોર્મને લઇને નિશ્વીત રીતે મહેન્દ્રસિંહ ધોનીને માટે તે ચિંતાનો વિષય હશે. કારણ કે તેની જગ્યાએ કોઇ જ ઉચીત વિકલ્પ નજર નથી આવતો. બ્રાવો ની જગ્યા પર સૈમ કરનને લીધો હતો, પરંતુ તેણે અત્યાર સુધી ચૈન્નાઇ ની માટે ત્રણેય મેચમાં બોંલીંગ અને બેટીંગ બંને તરફ થી પ્રભાવીત રમત દાખવી છે. બ્રાવોને ટીમમાં સમાવવા માટે ધોનીએ શેન વોટ્સન અથવા ઝોશ હૈઝલવુડ બંને માંથી એકને બહાર કરવો પડી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સનરાઇઝને હિટરની જરુર
બીજી તરફ કેન વિલીયમ્મસ ના આવવા થી સનરાઇઝર્સ હૈદરાબાદ નો મધ્યમક્રમ મજબુત થયો છે. જેનાથી બે હાર પછી પોતાની પ્રથમ જીત દર્જ કરી શકાઇ છે. જોની બેએરસ્ટો અને ડેવીડ વોર્નર પણ પોતાનુ યોગદાન આપી રહ્યા છે. આવામાં તેમની ટીમ કોઇપણ પ્રકારની ઢીલાશ દાખવવા માંગતી નથી. સનરાઇઝર્સને જો સફળતા હાંસલ કરી હોય તો, તેમને મધ્યમક્રમમાં એક સારો બીગ હિટર ની જરુર છે. કેમ કે બેઅરીસ્ટો, વોર્નર અને વિલિયમસન જો અસફળ થાય તો ટીમને પરેશાની થઇ શકે છે.
આમના થી છે આશા.
કાશ્મીરના અબ્દુલ સમદે આશાઓને જગાવી છે. જ્યારે પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્મા ને પોતાનો ખેલ બહેતર કરવાની જરુર છે. જ્યાં સુધી બોલીંગ નો સવાલ છે, બંને ટીમોના બોલર્સ એક સરખા જેવા જ લાગી રહ્યા છે. ચૈન્નાઇના દિપક ચહર, હૈઝલવુડ, કરેન, રવિન્દ્રસિંહ જાડેજા ને પિયુષ ચાવલા દુબઇની ધીમી વિકેટ પર ઉપયોગી સાબિત થઇ શકે છે. જ્યારેસનરાઇઝર્સને ડેથ ઓવરો માટે વિશેષજ્ઞના રુપમાં ટી નટરાજન મળ્યો છે. જે વિશ્વમાં ટી-20 માં નંબર એક બોલર રાશિદ ખાનનો સારો સહયોગી બોલર સાબિત થઇ શકે છે. રાશિદે દિલ્હી કેપીટલ્સ સામે ત્રણ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી
ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, સાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.