T-20: ધોનીએ પ્રશંસકો માટે આપ્યા સારા સમાચાર, તેના કેરીયરને લઇને કહ્યુ હજુ તેની આખરી મેચ નથી.

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે વર્ષ 2020 ની સિઝન ટી-20 લીગમાં ખુબજ ખરાબ રહી છે. ચેન્નાઇ ટી-20 લીગની આ સિઝન નિરાશાજનક રહ્યા બાદ આજે  સિઝનમાં તેની અંતિમ મેચ રમીને તે ટુર્નામેન્ટમાંથી બહાર નિકળશે. કારણ કે તેને પ્લેઓફમાં સ્થાન મળી શક્યુ નથી. અંંતિમ મેચ શરુ થવા દરમ્યાન જ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર સામે […]

T-20: ધોનીએ પ્રશંસકો માટે આપ્યા સારા સમાચાર, તેના કેરીયરને લઇને કહ્યુ હજુ તેની આખરી મેચ નથી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 01, 2020 | 4:45 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે વર્ષ 2020 ની સિઝન ટી-20 લીગમાં ખુબજ ખરાબ રહી છે. ચેન્નાઇ ટી-20 લીગની આ સિઝન નિરાશાજનક રહ્યા બાદ આજે  સિઝનમાં તેની અંતિમ મેચ રમીને તે ટુર્નામેન્ટમાંથી બહાર નિકળશે. કારણ કે તેને પ્લેઓફમાં સ્થાન મળી શક્યુ નથી. અંંતિમ મેચ શરુ થવા દરમ્યાન જ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇ ના થાલા અને ટીમના કરીશ્માઇ ગણાતા કેપ્ટન એમએસ ધોની આગામી વર્ષે ફરી થી ટી-20 લીગમાં પોતાની ટીમ સાથે પરત ફરશે. ધોનીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, ટી-20 લીગની સૌથી વધુ પસંદ કરવામાં આવતી ટીમ માટે તે આગામી સિઝનમાં રમવાનુ જારી રાખશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

અબુધાબીમાં આ સિઝનની અંતિમ મેચમાં ધોની ની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરી હતી. જોકે મેચ અગાઉ થી જ ટુર્નામેન્ટમાં થી બહાર થઇ ચુકેલી ટીમ ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં સૌથી નિચલા ક્રમ પર રહી હતી. જેથી તેના માટે રવિવારની મેચ માત્ર પ્રતિષ્ઠા પુરતી જ મેચ રમવા મેદાનમાં ચેન્નાઇ ઉતર્યુ હતુ. ગઇ મેચોની જેમ જ રવિવારે પંજાબ સામેની મેચમાં ટોસ ધોની એ જીત્યો હતો. ટોસ જીતીને ધોનીએ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ અંગેની વાતચિત દરમ્યાન કોમેન્ટેટર ડૈની મોરિસને ધોની તુરત જ પ્રથમ સવાલ જ તેના ભવિષ્યને લઇને પુછી લીધો હતો. 

ધોનીએ ડૈની મોરિસનને આપેલો જવાબ  ટી-20 લીગ, ધોની અને ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રશંસકો માટે જાણે કે એક રીતે રાહતના સમાચાર છે. ધોની ટી-20 લીગમાં સૌથી સફળ કેપ્ટનો માંથી એક છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ત્રણ વાર ખિતાબ મેળવી ચુકી છે. જ્યારે લગાતાર દશ સિઝનમાં પ્લેઓફ સુધી પહોચી શકી છે. ટી-20 લીગના ઇતિહાસમાં આ પ્રથમવાર છે કે જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ લીગ સ્ટેજમાંથી જ બહાર જઇ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">