T-20 લીગઃ CSK માટે રાહતના સમાચાર, બે સ્ટાર ખેલાડી હૈદરાબાદ સામે રમશે

ભારતીય ટી20ની લીગ મેચમાં સૌથી વધુ આઠ વાર ફાઈનલ રમનાર, ચેન્નાઈ સુપર કિગ્સ માટે સારા સમાચાર છે. ચેન્નાઈ સુપર કિગ્સના બે સ્ટાર ખેલાડીઓ આગામી મેચ રમી શકશે. મહેન્દ્રસિંહ ધોનની આગેવાનીની, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હાલ ટી20 લીગ મેચના, પોઈન્ટ ટેબલમાં તળીયે છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિગ્સે ત્રણ મેચ રમી છે. જેમાં બે મેચ હાર્યુ […]

T-20 લીગઃ CSK માટે રાહતના સમાચાર, બે સ્ટાર ખેલાડી હૈદરાબાદ સામે રમશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:45 PM

ભારતીય ટી20ની લીગ મેચમાં સૌથી વધુ આઠ વાર ફાઈનલ રમનાર, ચેન્નાઈ સુપર કિગ્સ માટે સારા સમાચાર છે. ચેન્નાઈ સુપર કિગ્સના બે સ્ટાર ખેલાડીઓ આગામી મેચ રમી શકશે. મહેન્દ્રસિંહ ધોનની આગેવાનીની, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હાલ ટી20 લીગ મેચના, પોઈન્ટ ટેબલમાં તળીયે છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિગ્સે ત્રણ મેચ રમી છે. જેમાં બે મેચ હાર્યુ છે. અને એક મેચ જીત્યુ છે. પણ હવે એવુ માનવામા આવી રહ્યુ છે કે, હવે સીએસકેના સંધર્ષના દિવસો પૂરા થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિગ્સના બે ખેલાડીઓ પરત ફરી રહ્યા છે.

ચેન્નાઇની પહેલી મેચમાં જ જે ખેલાડીએ ટીમને, મુંબઇ ઇન્ડીયનના વિરુદ્ધ જીત મેળવવામાં, મહત્વની ભુમીકા નિભાવી હતી, તે પણ હવે આગામી મેચમાં પરત ફરશે. આ એ જ ખેલાડી છે કે જેણે વિશ્વકપ ૨૦૧૯ દરમ્યાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા વાળા અંબાતી રાયડુ હતો. પ્રથમ મેચમાં જ અંબાતી રાયડુએ 48 બોલમાં 71 રનની પારી રમી હતી, જેને લઇને તેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પણ મળ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો કે ત્યાર બાદ રાયડુની માંસપેશી ખેંચાઇ જવાને લઇને, તે ચેન્નાઇની બે મેચ રમી શક્યો નહોતો. પરંતુ હવે તે ટીમમાં ચોથા ક્રમાંક પર, રમવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ચૈન્નાઇ તેની આગળની મેચ બીજી ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.

સીએસકેના સીઇઓ કેએસ વિશ્વનાથને કહ્યુ છે કે રાયડુને હવે નેટ પ્રેકટીશ દરમ્યાન દોડવામાં કોઇજ પ્રકારની સમસ્યા જણાતી નથી. સાથે જ ટીમ માટે બીજા પણ સારા સમાચાર એ છે કે ઓલરાઉન્ડર ડ્રેન બ્રાવો પણ તેની ઇજાથી હવે સ્વસ્થ થઇ ચુક્યો છે, આગળની મેચમાં મેદાન પર તે હવે રમવા માટે તૈયાર છે. અંબાતી રાયડુ ટીમના મધ્યમક્રમને મજબુત રાખવા મહત્વનો મદદરુપ છે. તો વળી વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્રેન બ્રાવો ટીમને બોલીંગ અને નિચલા ક્રમની બેટીંગ એમ બંને તરફ થી સંતુલન કરતી રામત દાખવે છે.

અંબાતી રાયડુ એ વર્ષ 2019ના વિશ્વકપમાં પસંદ કરેલી ટીમમાં સમાવેશ નહોતો કરાયો. જેને લઇને નારાજ થઇને રાયડુએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, ત્યારે તેના આ પગલા થી ભારતીય ક્રિકેટમાં હલચલ મચી ગઇ હતી. જોકે બાદમાં તેણે પોતાની જાહેરાત પરત ખેંચી હતી.

આ પણ વાંચોઃકોરોનાની કોલર ટ્યુનથી કંટાળીને, ટેલિફોન સલાહકાર સમિતિના સભ્યે, પ્રસારણ મંત્રાલયને લખી કાઢ્યો પત્ર, હવે બંધ કરો આ ટ્યુન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">