બિટકોઈન બ્લોકચેન હેક થઈ શકે છે ! બંધ થવાનો ભય પણ છે, જાણો કેટલા ટકા શક્યતા છે?
વિચાર કરો કે, બિટકોઇન અથવા તમે જે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તે હેક થઈ જાય તો શું થશે? કે પછી માની લો કે, આખું બ્લોકચેન નેટવર્ક બંધ થઈ જાય તો? જો કે, તમને એમ કે આવું શક્ય બને ખરું? તો જવાબ છે હા, આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ઊભી થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, તમે જે રોકાણ કર્યું છે તે તમે કેવી રીતે બચાવી શકો છો.

બિટકોઇન હોય કે અન્ય કોઈ ક્રિપ્ટોકરન્સી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, તેને હેક કરી શકાતી નથી. આ દાવા પાછળનો સૌથી મોટો દાવો એ છે કે ક્રિપ્ટોકરન્સી ખૂબ જ જટિલ ક્રિપ્ટોગ્રાફિક કોડ છે. બીજું સૌથી મોટું સિક્યોરિટી ફીચર એ છે કે તે ડિસેન્ટ્રલાઇઝ છે. આ બંને કારણોસર એવો દાવો કરવામાં આવે છે કે, ક્રિપ્ટોકરન્સી હેક કરી શકાય તેમ નથી.

જો આપણે કોઈ એક્સચેન્જ, વેબસાઇટ અથવા વોલેટ વિશે વાત કરીએ તો બિટકોઈન ચોક્કસપણે હેક થાય છે. હેકર્સ દર વર્ષે અબજો ડોલરની ક્રિપ્ટોકરન્સી ચોરી કરે છે. જો આપણે બ્લોકચેન હેક થવાની વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિમાં તે લગભગ ના બરાબર છે. જો કે, એવો દાવો કરી શકાતો નથી કે કોઈપણ બ્લોકચેન 100 ટકા હેક પ્રૂફ છે.

એવી કોઈ સ્કેલ નથી કે જેના આધારે આપણે જાણી શકીએ કે બિટકોઈન બ્લોકચેન હેક થવાની શક્યતા કેટલી છે. જો કે, કઈ પરિસ્થિતિઓમાં બિટકોઈન બ્લોકચેન હેક થઈ શકે છે તે જાણી શકાય છે. બિટકોઇનની બ્લોકચેન ડિસેન્ટ્રલાઇઝ છે. ટૂંકમાં કહીએ તો, તે કોઈ એક સર્વરથી ઓપરેટ થતું નથી.

વિશ્વભરમાં ઘણા માઈનર્સ એવા છે કે જે સર્વર તરીકે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોઈપણ એક ડિવાઇસને હેક કરીને બ્લોકચેનને હેક કરી શકાતું નથી.

બિટકોઇન ફક્ત ત્યારે જ હેક થઈ શકે જ્યારે કોઈ એક એન્ટિટી (એક જ વ્યક્તિ, સંસ્થા અથવા સંગઠન) 51% માઈનિંગ કેપેસિટી પ્રાપ્ત કરી શકે. આ સિવાય જ્યારે ધરતી પર વીજળી કે ઇન્ટરનેટ બંધ થઈ જાય ત્યારે તેને શટડાઉન કરી શકાય છે.

51% એટેક એ એક એવી સંભવિત પરિસ્થિતિ છે કે જ્યાં એક વ્યક્તિ અથવા સંસ્થા બ્લોકચેન નેટવર્કના 51%થી વધુ હેશરેટને કંટ્રોલ કરી શકે છે. બિટકોઈન બ્લોકચેનમાં કોઈપણ ટ્રાન્ઝેક્શન ફક્ત ત્યારે જ માન્ય માનવામાં આવે છે, જ્યારે તેને ઓછામાં ઓછા 51% બહુમતથી મંજૂરી મળે.

આનો સીધો અર્થ એ છે કે જો કોઈ પાસે બ્લોકચેનના 51% હિસ્સા પર કાબૂ હોય, તો તે ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર કરી શકે છે.

છેલ્લા દસ વર્ષથી બિટકોઈન બ્લોકચેન લગભગ 100% અપટાઇમ સાથે ચાલી રહ્યું છે. જો કે, વિશ્વમાં વીજળી ન રહે અને ઇન્ટરનેટ બંધ થઈ જાય તો બ્લોકચેન નિષ્ફળ થઈ શકે છે.

જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે એક્સચેન્જ, વોલેટ અને સ્ટોરેજ વિશે ચિંતા કરવાની જરૂર છે. હાલમાં બ્લોકચેન લેવલે ક્રિપ્ટોકરન્સી હેક થાય કે બંધ થાય તેવું લાગી રહ્યું નથી. આમ જોવા જઈએ તો, વોલેટ અને એક્સચેન્જમાંથી ચોરી થવાનું જોખમ હંમેશા રહે છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































