ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને આપી ધમકી, કહ્યું- યહૂદી શાસન ખતમ કરી દેવામાં આવશે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ સોમવારે ઈઝરાયેલને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા સંબંધિત મુદ્દાઓના નિરાકરણ વિના કરારનો કોઈ અર્થ નથી.
ઈરાનના (IRAN)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ (Ibrahim Raisi) સોમવારે જણાવ્યું હતું કે પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવા માટેના કોઈપણ રોડમેપને ત્યારે જ આગળ વધારવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો દેશમાં અઘોષિત સ્થળોમાંથી યુરેનિયમના કણોની શોધની તેમની તપાસ બંધ કરશે. રાયસીએ રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઈઝરાયેલને ધમકી પણ આપી હતી. તેણે કડક વલણ બતાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઇરાનની અર્થવ્યવસ્થા અને ચલણ, રિયાલ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે પીડાય છે.
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ ઈરાનને ઈરાનમાં અજ્ઞાત સ્થળોએ મળી આવેલા માનવસર્જિત યુરેનિયમ કણોનો જવાબ આપવા કહ્યું છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ, પશ્ચિમી દેશો અને IAEAએ કહ્યું છે કે ઈરાન 2003 સુધી સંગઠિત પરમાણુ હથિયારોના કાર્યક્રમ પર કામ કરી રહ્યું હતું. જોકે, ઈરાને પરમાણુ હથિયારો મેળવવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે.
‘સુરક્ષા મુદ્દાઓને સંબોધ્યા વિના કરાર અર્થહીન છે’
રાયસીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સુરક્ષા મુદ્દાઓને ઉકેલ્યા વિના કરાર અર્થહીન છે,” રાયસીએ ઇઝરાયેલને ધમકી પણ આપી. જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાની તેની ધમકીઓને અમલમાં મૂકવાનું નક્કી કરે છે, તો યહૂદી શાસનનો પણ નાશ થશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે……