ઈરાનમાં હિજાબના વિરોધમાં મહિલાઓ ઉતરી રસ્તા પર, તસ્લીમા નસરીને કહ્યુ, મહિલાઓ સ્વૈચ્છાએ નહી કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે

તસ્લીમા નસરીને કહ્યું, 'મોટાભાગની મહિલાઓ હિજાબ માત્ર એટલા માટે પહેરે છે કારણ કે તેમને આવું કરવાની ફરજ પાડવામાં આવે છે. તેમના માતા-પિતા અને તેમના પરિવારના અન્ય સભ્યો મહિલાઓ પર દબાણ કરે છે.

ઈરાનમાં હિજાબના વિરોધમાં મહિલાઓ ઉતરી રસ્તા પર, તસ્લીમા નસરીને કહ્યુ, મહિલાઓ સ્વૈચ્છાએ નહી કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે
Taslima Nasreen (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 8:31 AM

ઈરાનમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીના મોત બાદ દેશભરમાં હિજાબનો (Hijab) વિરોધ શરૂ થઈ ગયો છે. ઈરાની મહિલાઓ દેશના કડક ‘ડ્રેસ કોડ’ કાયદાને લઈને અલગ-અલગ રીતે વિરોધ કરી રહી છે. કેટલીક મહિલાઓ ‘હિજાબ’ સામે વાળ કાપીને, કેટલીક માથાનો સ્કાર્ફ સળગાવીને અને મહસા અમીની માટે ન્યાય મળે તે માટે હિજાબનો વિરોધ કરી રહી છે. બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને (Taslima Nasreen) પણ ઈરાનમાં (Iran) ફાટી નીકળેલા ‘હિજાબ વોર’નું સમર્થન કર્યું છે.

તસ્લીમાએ અમીનીના મૃત્યુ સામે હિજાબ સળગાવી અને વાળ કાપવાની મહિલાઓની પ્રશંસા કરી. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, તેણીએ કહ્યું કે હિજાબ ખરેખર કોઈ વિકલ્પ નથી. તેમણે વિશ્વભરની મહિલાઓને ઈરાની પ્રોટેસ્ટથી હિંમત રાખવાની અપીલ કરી હતી. હકીકતમાં, થોડા દિવસો પહેલા, ઈરાનની મોરાલિટી પોલીસે અમીનીને કસ્ટડીમાં લીધી હતી, તે પણ એટલા માટે કે તેણે દેશના ‘ડ્રેસ કોડ’ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.

પોલીસે આરોપ લગાવ્યો હતો કે અમીનીએ હિજાબ પહેર્યો ન હતો, જે દેશના કાયદા મુજબ મહિલાઓ માટે ફરજિયાત છે. અમીની તેની અટકાયતના 2-3 દિવસ પછી કોમામાં સરી પડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે અમીનીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. જ્યારે સંબંધીઓનો આરોપ છે કે પોલીસે અમીનીને કસ્ટડી દરમિયાન અત્યાચાર કર્યો, જેના કારણે તેનું મોત થયું. પરિવારે એમ પણ કહ્યું કે અમીની સંપૂર્ણ સ્વસ્થ છે, તો અચાનક તેનું મૃત્યુ કેવી રીતે થઈ શકે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

‘હિજાબ’ જુલમ અને અપમાનનું પ્રતીકઃ નસરીન

મહસા અમીનીના મોતથી સમગ્ર ઈરાનમાં આક્રોશનું વાતાવરણ સર્જાયું છે. ગુસ્સે ભરાયેલી મહિલાઓ હિજાબને લઈને રસ્તા પર ઉતરી હતી અને સરકાર વિરુદ્ધ ‘મુર્દાબાદ’ના નારા લગાવતી હતી. આ સમગ્ર ઘટના પર તસ્લીમા નસરીને સોમવારે કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું. આ એક ખૂબ જ સુંદર દ્રશ્ય છે. પ્રોટેસ્ટ દરમિયાન મહિલાઓ તેમના હિજાબ સળગાવી રહી છે અને વાળ કાપી રહી છે. આ વાક્ય વિશ્વની સાથે સાથે તમામ મુસ્લિમ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે હિજાબ સ્ત્રીઓના જુલમ, અપમાન અને અત્યાચારનું પ્રતીક છે.

હિજાબ એ વિકલ્પ નથી

જ્યારે તસ્લીમાને પૂછવામાં આવ્યું કે શું હિજાબ પહેરવાનો વિકલ્પ મહિલાઓ પર છોડવો જોઈએ ? તો તસ્લીમા નસરીને કહ્યું, ‘જે લોકો હિજાબ પહેરવા માગે છે, તેમને આવું કરવાનો પૂરો અધિકાર મળવો જોઈએ. પરંતુ જે મહિલાઓ હિજાબ પહેરવા માંગતી નથી તેમને તે કરવા માટે દબાણ કરવું જોઈએ નહીં.’ નસરીને દાવો કર્યો હતો કે મોટાભાગના કિસ્સાઓમાં હિજાબ એક વિકલ્પ નથી. તેણે કહ્યું કે ‘હિજાબ’ પરિવારના દબાણ અને ડરની માનસિકતાને આકાર આપવાનું કામ કરે છે.

‘મોટાભાગની મહિલાઓ મજબૂરીમાં પહેરે છે’

તસ્લીમા નસરીને કહ્યું, ‘મોટાભાગની મહિલાઓ હિજાબ માત્ર એટલા માટે પહેરે છે કારણ કે તેમને આવું કરવાની ફરજ પાડવામાં આવે છે. તેમના માતા-પિતા અને તેમના પરિવારના અન્ય સભ્યો મહિલાઓ પર દબાણ કરે છે. જોકે કેટલીક સ્ત્રીઓ હિજાબ પહેરે છે કારણ કે તેઓને હિજાબ પહેરવા વિશે બ્રેઈનવોશ કરાઈ હોય છે. અથવા ધાર્મિક કટ્ટરપંથીઓ લોકોને બુરખા અને હિજાબ પહેરવા દબાણ કરશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">