માલદીવ સહિત આ 5 દેશો દરિયામાં ડૂબી જશે ? ક્યાં જશે અહીંના લોકો

ન્યૂઝ એજન્સી એએફપી મુજબ માલદીવના (Maldives) પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ દેશ અને તેના લોકો માટે આનાથી મોટી દુર્ઘટના હોઈ શકે નહીં.

માલદીવ સહિત આ 5 દેશો દરિયામાં ડૂબી જશે ? ક્યાં જશે અહીંના લોકો
Maritime countriesImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 4:02 PM

જે ઝડપે સમુદ્રમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, 22મી સદી સુધીમાં એવા ઘણા દેશો છે, જે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે. જો કે 21મી સદીની શરૂઆતમાં આવી બાબતો થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જ પરના ઘણા અભ્યાસો ભવિષ્ય વિશે ચિંતા દર્શાવી રહ્યા છે. જો માલદીવ (Maldives) અને તુવાલુ (Tuvalu) જેવા દેશો દરિયાની સપાટી વધવાથી ડૂબી જાય તો શું આ દેશો વિશ્વના નકશામાંથી દૂર થઈ જશે? આ દેશોના નાગરિકોનું શું થશે? એવા ઘણા સવાલો છે જેના પર વૈજ્ઞાનિકો અને વિશ્લેષકો વિચારવા લાગ્યા છે.

ન્યૂઝ એજન્સી એએફપી મુજબ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ દેશ અને તેના લોકો માટે આનાથી મોટી દુર્ઘટના હોઈ શકે નહીં.

દરિયામાં ડૂબતા પહેલા થશે વિનાશ

યુએન ક્લાઈમેટ એક્સપર્ટના મતે છેલ્લા 120 વર્ષમાં દરિયાઈ સપાટીમાં લગભગ 6 થી 10 ઈંચનો વધારો થયો છે અને ડરાવનારી વાત એ છે કે તે સતત વધી રહી છે. જો ગ્લોબલ વોર્મિંગ સતત વધતું રહેશે તો આ સદીના અંત સુધીમાં પેસિફિક અને હિંદ મહાસાગરમાં સમુદ્રનું સ્તર 39 ઈંચ વધી જશે. પરંતુ તે સૌથી નાના અને સૌથી નીચી ઉંચાઈવાળા ટાપુઓના શિખર કરતા નીચું હશે, તોફાન અને દરિયાઈ મોજા સમુદ્રના સ્તરમાં વધારો સાથે તીવ્ર બનશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઘણા દેશો દરિયામાં ડૂબવાના ઘણા સમય પહેલા પાણીમાં મીઠાનું પ્રમાણ વધવાને કારણે ઘણી જગ્યાઓ નિર્જન બની જશે. એટલે કે ત્યાં માનવ વસાહતો અસ્તિત્વમાં રહેશે નહીં.

ક્લાઈમેટ ચેન્જ પર યુએનની સ્ટડી મુજબ 22મી સદી સુધીમાં માલદીવ સહિત તુવાલુ, માર્શલ આઈલેન્ડ, નૌરુ અને કિરીબાતી નામના દેશો માનવ વસ્તી માટે રહેવા લાયક રહેશે નહીં અને લગભગ 6 લાખ લોકો ઘર વગરના થઈ જશે. તેમનો કોઈ દેશ નહીં હોય.

મેડિસન સ્થિત યુનિવર્સિટી ઓફ વિન્સકોઈનના સુમુદુ અટાપટ્ટુએ આ વિશે કહ્યું હતું કે પહેલા પણ પરસ્પર યુદ્ધોને કારણે ઘણા દેશોના નામ નકશામાંથી હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ ક્યારેય એવી સ્થિતિ નથી બની જ્યારે કોઈ આપત્તિના કારણે આખો દેશ બરબાદ થઈ ગયો હોય.

જમીન વિના કેવી રીતે બનશે દેશ?

જો વર્ષ 1933ના મોન્ટેવિડિયો કન્વેન્શન હેઠળ જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દેશની રચના નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર, સ્થાયી વસ્તી, સરકાર અને અન્ય દેશો સાથે વાટાઘાટો કરવાની ક્ષમતા હોવા પછી જ થાય છે. આવી પરિસ્થિતિમાં, જો આખો દેશ ડૂબી જાય અથવા જે જમીન બચે છે તેના પર કોઈ રહેતું નથી, તો તે દેશ આમાંથી એક માપદંડ એટલે કે ભૌગોલિક વિસ્તારને પૂરો કરી શકશે નહીં.

અટ્ટાપટ્ટુએ વધુમાં કહ્યું કે કોઈપણ દેશને દરજ્જો આપવો એ એક કાલ્પનિક છે, એવી કાનૂની કાલ્પનિક છે જે અમે આંતરરાષ્ટ્રીય કાયદાના હેતુ માટે બનાવ્યું છે. આવી પરિસ્થિતિમાં આપણે બધાએ અન્ય કલ્પના સાથે આગળ આવવું પડશે જેમાં ભૌગોલિક વિસ્તાર વિનાના દેશોનો વિચાર કરવામાં આવે.

ખાસ વાત એ છે કે પ્રશાંત મહાસાગરથી સંબંધિત અનેક સરકારો દ્વારા સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવેલી ‘રાઈઝિંગ નેશન્સ’ પહેલ પાછળનો આ વિચાર છે. તુવાલુના વડાપ્રધાન કૌસિયા નાતાનોએ આ વિશે એએફપીને કહ્યું હતું કે જો આપણો દેશ પાણીમાં ડૂબી ગયો હોય તો પણ યુએનના સભ્યોએ આપણા દેશને ઓળખવો પડશે, કારણ કે તે આપણી ઓળખ છે.

ઘણા લોકો પહેલેથી જ વિચારવા લાગ્યા છે કે કોઈ ચોક્કસ પ્રદેશ વિના નેશન-સ્ટેટનું ભવિષ્ય શું હશે?

કોલંબિયા યુનિવર્સિટીના ગ્લોબલ સેન્ટર ફોર ક્લાઈમેટ મોબિલિટીના મેનેજિંગ ડાયરેક્ટર અને યુએનના પૂર્વ અધિકારી કમલ અમકરનેએ આ વિશે કહ્યું કે એવું બની શકે છે કે તમારો ભૌગોલિક ક્ષેત્ર ક્યાંક બીજે છે, લોકો ક્યાંક બીજે છે અને સરકાર કોઈ ત્રીજા સ્થાને છે. પરંતુ આમ કરવા માટે પહેલા યુએન તરફથી રાજકીય ઘોષણા કરવાની જરૂર પડશે.

આ પછી જે દેશોમાં જોખમ છે અને મદદ માટે આગળ આવનાર દેશો વચ્ચે સમજણની જરૂર પડશે, જે એક પ્રકારની કાયમી દૂતાવાસના રૂપમાં શરણાર્થી સરકારને માન્યતા આપશે.

એમકરને કહે છે કે જ્યારે તમે કોઈ દેશને વ્યાખ્યાયિત કરવા માટે ભૌગોલિક સીમા અથવા વિસ્તારની વાત કરો છો, ત્યારે તે પણ સ્પષ્ટ નથી કે તે શુષ્ક વિસ્તાર હશે કે દરિયાઈ વિસ્તાર.

પેસિફિકમાં 13 લાખ ચોરસ માઇલમાં ફેલાયેલા 33 ટાપુઓ ધરાવતો કિરીબાતી દેશ જમીનની દ્રષ્ટિએ નાનો છે પરંતુ દુનિયાના સૌથી મોટા ઈકોનોમિક ઝોનમાંનો એક છે. આવામાં કેટલાક નિષ્ણાતો માને છે કે જો આ દરિયાઈ સાર્વભૌમત્વને સાચવવામાં આવશે, તો એક પણ દેશ ગાયબ થઈ જશે નહીં.

ઓગસ્ટ 2021 માં પેસિફિક આઈલેન્ડ ફોરમના કેટલાક દેશોએ (ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ) જાહેરાત કરી હતી કે આબોહવા પરિવર્તનને કારણે, જો સમુદ્રના સ્તરમાં ફેરફાર થશે, તો તેમના સમુદ્રના પાણીના ક્ષેત્રમાં કોઈ ઘટાડો થશે નહીં.

લોકો સરળતાથી દેશ છોડી જશે?

ઘણા નિષ્ણાતો કહે છે કે જો કોઈ પણ દેશ પર આવો સંકટ આવે તો પણ કેટલાક લોકો પોતાનો દેશ છોડવા તૈયાર ન થાય.

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદ આ સમયે કહે છે કે માનવી ખૂબ જ સ્માર્ટ છે, તેઓ આવી પરિસ્થિતિમાં જીવન જીવવાના રસ્તા શોધી લેશે. તેમને કહ્યું કે લોકોને તરતા શહેરોની પણ આદત પડી જશે.

પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે આ દેશોને આવા પ્રોજેક્ટ માટે સંસાધનો કેવી રીતે મળશે. નવેમ્બરમાં ઈજિપ્તમાં COP27 દરમિયાન ગ્લોબલ વોર્મિંગને કારણે થતું નુકસાન એક મોટી સમસ્યા હશે.

અમકરને સૂચવે છે કે આવા દેશોના વારસાને બચાવવા માટે રાજકીય પહેલ શરૂ કરવી જોઈએ. તેનાથી લોકોની આશાઓ વધશે. તેમને ચેતવણી આપી હતી કે આવા દેશો અને તેમના નાગરિકોના ભવિષ્ય વિશે અનિશ્ચિતતામાં વધારો કરશે. આ રીતે તમે દેશ અને તેના લોકોનો નાશ કરશો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">